AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : ભારતીય શેરબજારે રોકાણકારોને માલામાલ બનાવ્યા, બે મહિનામાં સંપત્તિમાં 27લાખ કરોડનો વધારો થયો

20 માર્ચ 2023ના રોજ BSE સેન્સેક્સ ઘટીને 57,000ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16,828ના સ્તરે ગબડી ગયો હતો. આ પછી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફર્યા છે અને માત્ર બે મહિનામાં સેન્સેક્સમાં 5500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં લગભગ 1700 પોઈન્ટ્સનો વધારો થયો છે.

Share Market : ભારતીય શેરબજારે રોકાણકારોને માલામાલ બનાવ્યા, બે મહિનામાં સંપત્તિમાં 27લાખ કરોડનો વધારો થયો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:12 AM
Share

મે મહિનો પૂરો થવાનો છે. છેલ્લા બે મહિના ભારતીય શેરબજાર(Share Market)ના રોકાણકારો માટે ખૂબ જ સારા સાબિત થયા છે. 20 માર્ચ 2023 પછી ભારતીય શેરબજારે નીચલા સ્તરેથી યુ-ટર્ન લીધો અને ત્યારથી રોકાણકારો માટે અચ્છે દિન આવી ગયા છે. માત્ર બે મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 27 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલા સ્તરેથી જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

20 માર્ચ 2023ના રોજ BSE સેન્સેક્સ ઘટીને 57,000ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16,828ના સ્તરે ગબડી ગયો હતો. આ પછી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફર્યા છે અને માત્ર બે મહિનામાં સેન્સેક્સમાં 5500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં લગભગ 1700 પોઈન્ટ્સનો વધારો થયો છે. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ₹255.64 લાખ કરોડ થઈ ગઈ હતી. તે હવે વધીને રૂ. 282.67 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન બજારમાં રોકાણ કરાયેલા રોકાણકારોની સંપત્તિમાં રૂ. 27 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો : New Parliament House Opening : ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે, જાણો ખાસિયત શું રહેશે

બજારની આ તેજીમાં સૌથી મોટો ફાળો બજાજ ગ્રુપ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના ટ્વીન સ્ટોક્સનો રહ્યો છે. 20 માર્ચે બજાજ ફાઇનાન્સનો શેર ઘટીને રૂ.5485 થયો હતો, જે હવે રૂ. 6905 પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે બે મહિનામાં સ્ટોકમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. બજાજ ફિનસર્વનો શેર ઘટીને રૂ.1215 થયો હતો. જે હવે રૂ.1439 પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે બજાજ ફિનસર્વમાં 18 ટકાનો ઉછાળો આવ્યો છે.

દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સના શેરે પણ રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. રિલાયન્સનો શેર ઘટીને રૂ.2180ના સ્તરે આવી ગયો હતો, જે હવે રૂ.2506 પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે, શેરે રોકાણકારોને 15 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન કેટલાક આઈટી અને રેલવે શેરોએ પણ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે.

આ પણ વાંચો : Krishca Strapping Solutions IPO: આ ઈસ્યુએ લિસ્ટિંગ સાથે રોકાણકારોના નાણાં ડબલ કર્યા, ₹54ની ઈશ્યુ પ્રાઇસ સામે ₹113 પર લિસ્ટ થયો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">