AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેબીનો મોટો નિર્ણય, MD અને CEO નું પદ અલગ અલગ કરવાનો નિર્ણય સ્વૈચ્છિક કર્યો

સેબીના જણાવ્યા અનુસાર, કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ એમડી અને સીઈઓનું પદ અલગ અલગ અથવા એકસાથે રાખી શકે છે.

સેબીનો મોટો નિર્ણય, MD અને CEO નું પદ અલગ અલગ કરવાનો નિર્ણય સ્વૈચ્છિક કર્યો
SEBI (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:53 PM
Share

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ આજની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. સેબીએ તેનો નિર્ણય બદલ્યો છે. જેમાં કોઈપણ કંપની માટે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અથવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD and CEO) ની પોસ્ટ અલગ અલગ કરવી જરૂરી હતી. સેબી દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર, કંપનીઓ તેમની જરૂરિયાત મુજબ ચેરમેન અને MD અને CEOના પદને અલગ અલગ અથવા એકસાથે રાખી શકે છે. આ હવે ફરજિયાતમાંથી વૈકલ્પિક કરવામાં આવ્યું છે. સેબી બોર્ડની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીનો આ નિર્ણય 1 એપ્રિલ, 2022થી લાગુ થશે અને ટોચની 500 કંપનીઓને લાગુ પડશે.

જૂન 2017 માં, સેબીએ કોર્પોરેટ ગવર્નન્સ પર એક સમિતિની રચના કરી હતી. આ સમિતિના વડા ઉદય કોટક હતા. આ સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ચેરમેન અને MD અથવા CEOના પદને અલગ અલગ કરવા જોઈએ. તેનાથી કોર્પોરેટ ગવર્નન્સ મજબૂત થશે. સેબીના નિયમો હેઠળ, ટોચની 500 લિસ્ટેડ કંપનીઓએ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર અથવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ભૂમિકાને 1 એપ્રિલ, 2020થી વિભાજિત કરવાની હતી. આનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, નિયમનકારે મે 2018 માં આ પોસ્ટ્સને વિભાજીત કરવા માટે નિયમો રજૂ કર્યા હતા.

અગાઉ ચેરમેન અને એમડીના પદને અલગ અલગ કરવાનું કહેવામાં આવ્યું હતું.

સેબીએ જાન્યુઆરી 2020માં લિસ્ટેડ કંપનીઓ માટે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકાને બે વર્ષ માટે 1 એપ્રિલ, 2022 સુધી વિભાજિત કરવાની પદ્ધતિને મુલતવી રાખી હતી. કંપનીઓ દ્વારા આ માંગ કરવામાં આવી હતી. હવે આને આવશ્યકમાંથી હટાવીને વૈકલ્પિક બનાવવામાં આવ્યું છે. આ નિયમ માત્ર શેરબજારની ટોચની 500 કંપનીઓને જ લાગુ પડશે.

નાણામંત્રીએ અગાઉ સંકેતો આપ્યા હતા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે જો ભારતીય કંપનીઓ આ બાબતે કોઈ મંતવ્ય ધરાવે છે, તો નિયમનકારે તેની તપાસ કરવી જોઈએ. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ સૂચના આપી રહ્યા નથી.

કમ્પ્લાયન્સમાં ખૂબ જ ધીમો સુધારો

જૂના આદેશ મુજબ, આ સિસ્ટમ 1 એપ્રિલ, 2022 થી લાગુ થવા જઈ રહી હતી, પરંતુ હાલમાં, જ્યારે કમ્પ્લાયન્સની વાત કરીએ તો 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ માત્ર તે 54 ટકા હતું. સપ્ટેમ્બર 2019માં આ 50.4 ટકા હતું. આવી સ્થિતિમાં આ દિશામાં જરૂરી કામગીરી થઈ રહી ન હતી. નિર્ધારિત નિયમો મુજબ ચેરમેન પદ નોન એક્ઝિક્યુટિવ રાખવાનું હતું. તે જ સમયે, એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ચેરમેન અને એમડી નજીકના સંબંધીઓ ન હોઈ શકે.

આ પણ વાંચો :  LIC IPO: આ મેગા IPO માં રોકાણ કરતા પહેલા આ 10 રિસ્ક ફેક્ટર્સ વિશે પણ જાણો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">