AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm માટે વધુ એક ખરાબ સમાચાર, CEO વિજય શેખર શર્માને SEBIએ ફટકારી શો-કોઝ નોટિસ

SEBI દ્વારા જારી કરાયેલી નોટિસ વિજય શેખર શર્માના પ્રમોટર વર્ગીકરણના ધોરણોનું પાલન ન કરવાના આરોપ સાથે સંબંધિત છે, અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઇનપુટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

Paytm માટે વધુ એક ખરાબ સમાચાર, CEO વિજય શેખર શર્માને SEBIએ ફટકારી શો-કોઝ નોટિસ
Vijay Shekhar Sharma
| Updated on: Aug 26, 2024 | 3:48 PM
Share

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ One97 Communications Limited (Paytmની મૂળ કંપની)ના સ્થાપક વિજય શેખર શર્મા અને નવેમ્બર 2021માં તેના IPO દરમિયાન બોર્ડમાં રહેલા બોર્ડ સભ્યોને કારણ બતાવો નોટિસ ફટકાવામાં આવી છે. આ નોટિસ તથ્યોને ખોટી રીતે રજૂ કરવાના આરોપો સાથે સંબંધિત છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, SEBIની આ નોટિસ વિજય શેખર શર્મા અને બોર્ડના સભ્યો દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ આપવામાં આવી છે. જે પ્રમોટર વર્ગીકરણના ધોરણોનું પાલન ન કરવાના આરોપ સાથે સંબંધિત છે. આરબીઆઈ પાસેથી મળેલી કેટલીક માહિતીના આધારે સેબીએ આ તપાસ શરૂ કરી છે. આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં પેટીએમ પેમેન્ટ બેંકની તપાસ કરી હતી. તેમની પાસેથી મળેલા ઈનપુટના આધારે હવે વિજય શેખર શર્મા સેબીની નજરમાં આવી ગયા છે.

આ સમાચાર આવતાની સાથે જ પેમેન્ટ એગ્રીગેટર Paytmની પેરેન્ટ કંપની One97 Communications Ltd.ના શેરમાં 8 ટકા જેટલો ઘટાડો થયો હતો અને બપોરના 2 વાગ્યાની આસપાસ ભાવ 508 પર પહોંચી ગયા હતા. જો કે, બાદમાં થોડો સુધારો થયો હતો અને તે 4.48 ટકાના ઘટાડા સાથે રૂ. 530 પર બંધ થયો હતો.

સેબીની નોટિસમાં શું છે ?

રિપોર્ટ અનુસાર, સેબીની નોટિસનો મુખ્ય મુદ્દો એ છે કે શું વિજય શેખર શર્માને પ્રમોટર તરીકે રજૂ કરવા જોઈએ. જ્યારે કંપનીનો IPO આવ્યો ત્યારે તેમની પાસે પણ માત્ર એક કર્મચારીને બદલે મેનેજમેન્ટનું નિયંત્રણ હતું. આથી સેબીએ તત્કાલિન ડિરેક્ટરોને પણ નોટિસ પાઠવી છે. પોતાની નોટિસમાં સેબીએ તે લોકોને સવાલ કર્યો છે કે તેઓએ વિજય શેખર શર્માના આ પગલાને કેમ સમર્થન આપ્યું. સેબીના નિયમો મુજબ, જો વિજય શેખર શર્માને પ્રમોટર્સ ઓફર કરવામાં આવ્યા હોત, તો તેઓ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ (ESOPs) માટે પાત્ર ન બન્યા હોત.

સેબીના નિયમો મુજબ, જ્યાં સુધી કોઈ કંપની પોતાને વ્યવસાયિક રીતે સંચાલિત જાહેર ન કરે. ત્યાં સુધી તે પ્રમોટર દ્વારા ચલાવવામાં આવે તેવું માનવામાં આવે છે. વ્યવસાયિક રીતે સંચાલિત થવા માટે, કોઈપણ કંપનીના કોઈપણ એક શેરધારક પાસે 10 ટકાથી વધુ હિસ્સો હોવો જોઈએ નહીં અને કોઈ એક શેરધારકનું નિયંત્રણ હોવું જોઈએ નહીં.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">