AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIએ જન ધન ખાતાધારકોને હજુ સુધી પરત નથી કર્યા ખોટી રીતે વસૂલ કરાયેલા 164 કરોડ રૂપિયા: રિપોર્ટ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 ઓગસ્ટ, 2020ના રોજ બેંકો માટે 1 જાન્યુઆરી, 2020થી અમલમાં આવતા ખાતાધારકો પાસેથી વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી.

SBIએ જન ધન ખાતાધારકોને હજુ સુધી પરત નથી કર્યા ખોટી રીતે વસૂલ કરાયેલા 164 કરોડ રૂપિયા: રિપોર્ટ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 11:05 PM
Share

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ એપ્રિલ 2017થી ડિસેમ્બર 2019 દરમિયાન ડિજિટલ પેમેન્ટ માટે પ્રધાનમંત્રી જન-ધન યોજના ખાતાધારકો પાસેથી વસૂલવામાં આવેલી 164 કરોડ રૂપિયાની ગેરવાજબી ફી પરત કરવાની બાકી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)-મુંબઈ દ્વારા જન-ધન એકાઉન્ટ સ્કીમ પર તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર સરકાર તરફથી આ ફીની રકમ પરત કરવાની સૂચના મળ્યા બાદ પણ બેંકે ખાતાધારકોને માત્ર 90 કરોડ રૂપિયા જ પરત કર્યા છે. રિપોર્ટ અનુસાર બેંકે હજુ સુધી 164 કરોડ રૂપિયાની રકમ પરત કરી નથી.

બેંકે ખોટી રીતે 254 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા

રિપોર્ટ અનુસાર SBIએ એપ્રિલ 2017થી સપ્ટેમ્બર 2020 દરમિયાન જન-ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા સામાન્ય બચત ખાતાઓમાંથી UPI અને RuPay ટ્રાન્ઝેક્શનના બદલામાં 254 કરોડ રૂપિયાથી વધુ ફી એકત્ર કરી હતી. આમાં બેંકે ખાતાધારકો પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન 17.70 રૂપિયા વસૂલ્યા હતા. દેશની સૌથી મોટી બેંકે આ અંગે સ્પષ્ટતા માટે મોકલવામાં આવેલા પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો ન હતો.

જો કે, હકીકત એ છે કે SBI અન્ય કોઈપણ બેંકથી વિપરીત જનધન ખાતા ધારકો દ્વારા ડિજિટલ વ્યવહારો માટે ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. એક મહિનામાં ચારથી વધુ ઉપાડ માટે બેંક 17.70 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલતી હતી.

સીબીડીટીએ બેંકોને ફી રિફંડ કરવાની સૂચના આપી હતી

SBIના આ પગલાથી સરકારના આહ્વાન પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા જનધન ખાતાધારકો પર પ્રતિકૂળ અસર થઈ છે. આ રિપોર્ટ અનુસાર SBIના આ વલણની ઓગસ્ટ 2020માં નાણા મંત્રાલયને ફરિયાદ કરવામાં આવી હતી, જેણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 30 ઓગસ્ટ, 2020ના રોજ બેંકો માટે 1 જાન્યુઆરી, 2020થી અમલમાં આવતા ખાતાધારકો પાસેથી વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં આવી કોઈ ફી ન લેવા પણ કહેવામાં આવ્યું હતું.

SBIએ હજુ સુધી 164 કરોડ રૂપિયા પરત કર્યા નથી

આ સૂચનાને અનુસરીને SBIએ 17 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ જન-ધન ખાતા ધારકો પાસેથી ડિજિટલ વ્યવહારો માટે વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. રિપોર્ટ તૈયાર કરનાર આંકડાશાસ્ત્રના પ્રોફેસર આશિષ દાસ કહે છે કે આ ખાતાધારકોને 164 કરોડ રૂપિયા પાછા આપવાના બાકી છે.

આ પણ વાંચો :  હિંસાનો માર્ગ છોડીને આત્મસમર્પણ કર્યું, હવે પોલીસની મદદથી પૂર્વ નક્સલવાદી મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક, ફિનાઈલની બ્રાન્ડ કરી લોન્ચ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">