AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI એ બદલ્યો Cash Withdrawal નો નિયમ, હવે કોઈ પણ બ્રાંચથી ઉપાડી શકાશે આટલા રૂપિયા

SBI ના Cash Withdrawal ના નિયમો 30 સપ્ટેમ્બર 2021 સુધી જ લાગું રહેશે. એટલે કે આ નિયમ કાયમી ફેરફાર નહી પણ માત્ર હંગામી છે.

SBI એ બદલ્યો Cash Withdrawal નો નિયમ, હવે કોઈ પણ બ્રાંચથી ઉપાડી શકાશે આટલા રૂપિયા
સાંકેતિક તસ્વીર
| Updated on: May 29, 2021 | 11:58 PM
Share

કોરોનાકાળમાં દેશની સૈથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBI એ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કર્યા છે. રોકડ ઉપાડના આ નવા નિયમ અંગે SBI એ કહ્યું કે આ મહામારીમાં ગ્રાહકોને ટેકો આપવા માટે SBIએ ચેક અને રોકડ ઉપાડની સ્લીપ દ્વારા નોન-હોમ બ્રાંચ પરથી એટલે કે કોઈપણ બ્રાંચ પરથી રોકડ ઉપાડની મર્યાદામાં વધારો કર્યો છે.

25 હજારથી 1 લાખ સુધીની રોકડ ઉપાડી શકાશે SBI એ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ હવે SBI ના ગ્રાહકો નોન-હોમ બ્રાંચ પરથી એટલે કે કોઈપણ બ્રાંચ પરથી 25 હજારથી 1 લાખ સુધીની રોકડ ઉપાડી શકશે. આ નવા નિયમ મુજબ એકાઉન્ટ હોલ્ડર રોકડ ઉપાડની સ્લીપ ભરીને રૂ.25 હજાર ઉપાડી શકાશે, સેલ્ફના ચેક દ્વારા રૂ.1 લાખ રોકડ ઉપાડી શકશે અને થર્ડ પાર્ટી રૂ.50 હજાર ઉપાડી શકશે.

નવા નિયમ સાથે શરતો પણ SBI એ Cash Withdrawal ના નિયમો સાથે કેટલીક શરતો પણ મુકી છે. એકાઉન્ટ હોલ્ડરે રોકડ ઉપાડની સ્લીપ ભરીને રૂ.25 હજાર રોકડ ઉપાડ માટે પાસબુક રજૂ કરવી પડશે. આ ઉપરાંત થર્ડ પાર્ટી વ્યક્તિ રોકડ ઉપાડની સ્લીપ ભરીને રોકડા નાણા નહિ ઉપાડી શકે. આ ઉપરાંત થર્ડ પાર્ટી માટે KYC ડોકયુમેન્ટ્સ હોવા પણ જરૂરી છે. SBI ના રોકડ ઉપાડનો આ નિયમ 30 સપ્ટેમ્બર 2021 સુધી જ લાગું રહેશે, એટલે કે આ નિયમ કાયમી ફેરફાર નહી પણ માત્ર હંગામી છે.

SBI એ આ માટે બદલ્યો નિયમ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કરવાનું કારણ આપતા એસબીઆઈ એ કહ્યું કે કોરોનાકાળમાં ગાઈડલાઈનનું પાલન કરતા બેંકનું કામકાજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ શરૂ રહે છે. આ ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે એ માટે 50 ટકા સ્ટાફ સાથે કામ શરૂ રાખવામાં આવે છે. આના કારણે બેંકના ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. આ મુશ્કેલીઓના નિવારણ માટે જ બેન્કે રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી ઓછા સમયમાં વધારે કામ થઇ શકે.

આ પણ વાંચો : હવે ટોલનાકા પર 10 સેકંડથી વધારે સમય લાગશે તો વાહનચાલકોએ નહીં ચૂકવવો પડે Toll Tax

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">