AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ કાર્ડ ટોકનાઇઝેશન માટે સમયમર્યાદા લંબાવી, હવે 30 જૂન-2022 થી નિયમો બદલાશે, જાણો સંપૂર્ણ વિગતો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન, 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી છે.

RBI એ કાર્ડ ટોકનાઇઝેશન માટે સમયમર્યાદા લંબાવી, હવે 30 જૂન-2022 થી નિયમો બદલાશે, જાણો સંપૂર્ણ વિગતો
The Reserve Bank of India (RBI) has extended the deadline for card tokenization till June 30, 2022.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 11:02 PM
Share

RBI Card Tokenization: ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India – RBI) એ કાર્ડ ટોકનાઇઝેશન માટેની અંતિમ તારીખ 30 જૂન, 2022 સુધી લંબાવી છે. સેન્ટ્રલ બેંકે તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો (payment system operators) ને મોકલેલા તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે CoF ડેટા સ્ટોર કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવવામાં આવી રહી છે. તે પછી, આવા ડેટાને કાઢી નાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ નિયમો ઓનલાઈન શોપિંગને સેફ અને સિક્યોર બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં આરબીઆઈએ કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વ્યવહાર કરતા ગ્રાહકો માટે નવી માર્ગદર્શિકા (new guidelines) જાહેર કરી હતી.

RBIના નવા નિયમો શું કહે છે?

નવા નિયમો અનુસાર, ગ્રાહકોએ દર વખતે કોઈપણ વેબસાઈટ પરથી ચેકઆઉટ પર તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. કારણ કે તેમના કાર્ડની વિગતો હવે આ પ્લેટફોર્મ્સ પર સેવ કરવામાં આવશે નહીં. જો કે, આવી સ્થિતિમાં, દરેક ટ્રાન્ઝેક્શનમાં કાર્ડની વિગતો ઉમેરવાની ઝંઝટથી બચવાનો માર્ગ ટોકન્સ દ્વારા ઉકેલવામાં આવશે.

ટોકનાઇઝેશન એ તમારા કાર્ડની વિગતો માટે એક યુનિક અલ્ગોરિધમ-જનરેટેડ કોડ અથવા ટોકન છે. ટોકન ગ્રાહકોને કાર્ડની વિગતો જાહેર કર્યા વિના આ પ્લેટફોર્મ પર સરળતાથી ચુકવણી કરવાની મંજૂરી આપશે.

આ હેઠળ, ગ્રાહકો 30 જૂન, 2022 થી એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો અથવા અન્ય કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કાર્ડની વિગતો સેવ કરી શકશે નહીં. ઓનલાઈન વ્યવહાર કરવા માટે, જ્યારે પણ ઓર્ડર આપવામાં આવે ત્યારે ગ્રાહકોએ તેમના કાર્ડની વિગતો દાખલ કરવાની જરૂર છે. દરેક ઓર્ડરમાં કાર્ડની વિગતો દાખલ કરવાની ઝંઝટને ટાળવા માટે, ગ્રાહકો તેમના કાર્ડને ટોકનાઇઝ કરી શકે છે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા કાર્ડને ટોકનાઇઝ કરવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મને સંમતિ આપવાની જરૂર પડશે. એકવાર તમે મંજૂરી આપી દો, પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ કાર્ડ નેટવર્કને એડિશનલ ફેક્ટર ઓથેંટિકેશનની સાથે ડીટેલ્સ એન્ક્રિપ્ટ કરવામાં કહેવામાં આવશે.

એકવાર ઈ-કોમર્સ પ્લેટફોર્મને એનક્રિપ્ટેડ વિગતો પ્રાપ્ત થઈ જાય, પછી તે ગ્રાહક પોતાના આગામી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તે કાર્ડને સ્ટોર કરવામાં સક્ષમ થશે. તે નોંધવું જોઈએ કે અત્યાર સુધી, માત્ર માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડને ટોકનાઇઝ કરી શકાય છે. આરબીઆઈની નવી માર્ગદર્શિકા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને માટે લાગુ થવી જોઈએ.

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">