રિલાયન્સ ફ્યુચર ગ્રુપ ડીલ( Reliance Future Group Deal )નો વિવાદ સતત વધી રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ડીલ અટકાવી છે. હવે આ સોદા અંગે એક અહેવાલ બહાર આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ જો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપનો આ સોદા કરવામાં નહીં આવે તો 11 લાખ લોકોની આજીવિકાને અસર થશે. ટેલિકોમ અને ડિજિટલમાં તેનો વ્યવસાય ફેલાવ્યા પછી મુકેશ અંબાણીએ ફ્યુચર ગ્રુપના આ સોદા દ્વારા રિટેઈલ બજાર પર કબજો કરવાના સ્વપ્નો જોયા હતા, પરંતુ હાલના સમયમાં તેના ઉપર પૂર્ણવિરામ મુકાયું છે.
આ અહેવાલ મુજબ જો એમેઝોનને સફળતા મળે અને આ સોદો કાયમી ધોરણે બંધ થઈ જાય તો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ સાથે 11 લાખ લોકોને રોજગાર સંકટનો સામનો કરવો પડશે. ફ્યુચર ગ્રૂપ અને રિલાયન્સે ખાતરી કરવાની કોશિશ કરી છે કે આ ડીલ દ્વારા Big Bazaar, EasyDay, Nilgiris, Central, Brand Factoryજેવા વ્યવસાયો કાર્યરત રહેશે, જેથી તેમના કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી ન પડે.
સોદો કેમ અટક્યો?
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને અટકાવતા સુનાવણી કરી છે કે હવે પછીના આદેશ સુધી આ સોદાને લગતા તમામ વ્યવહારો અટકાવવામાં આવે. ઈ- કોમર્સ કંપની એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે ફ્યુચર રિટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં બંને કંપનીઓને ત્રણ અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે રિલાયન્સ-ફ્યુચર વચ્ચેના સોદાની આગળની પ્રક્રિયા પર સ્ટે મુક્યો છે.
આ પણ વાંચો: West Bengal Polls 2021: ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી, જાવેદ શમીમને દૂર કરાયા નવા ADG લો-ઓર્ડર હશે જગમોહન