West Bengal Polls 2021: ઈલેક્શન કમિશનની મોટી કાર્યવાહી, જાવેદ શમીમને દૂર કરાયા નવા ADG લો-ઓર્ડર હશે જગમોહન
પશ્ચિમ બંગાળના ઈલેકશનની તારીખોની જાહેરાત અને પશ્ચિમ બંગાળમાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
West Bengal Polls 2021: પશ્ચિમ બંગાળના ઈલેકશનની તારીખોની જાહેરાત અને પશ્ચિમ બંગાળમાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે રાજ્યમાં આઠ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે.
West Bengalમાં ચૂંટણીની તારીખોના બીજા દિવસે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા (એડીજી) જાવેદ શમીમને દૂર કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ ડીજી ફાયર સર્વિસ જગમોહનને નવા એડીજી (લો એન્ડ ઓર્ડર) બનાવવામાં આવ્યા છે. એડીજી (લો એન્ડ ઓર્ડર) ચૂંટણી પંચ સાથે નોડલ એજન્સી તરીકે કામ કરશે. જાવેદ શમીમને ડીજી ફાયર સર્વિસ બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જાવેદ શમીમને સીએમ મમતા બેનર્જીએ નવા એડીજી બનાવ્યા હતા. જગ મોહન 1991ની બેચના આઈપીએસ અધિકારી છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે.
ટીએમસીએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉભા કર્યા હતા
પશ્ચિમ બંગાળમાં ભાજપ સહિત વિરોધી પક્ષોને હિંસાનો સતત ભય સતાવી રહ્યો છે. જેમાં આજે ભાજપની પરિવર્તન યાત્રાના રથ પર થયેલા હુમલા સામે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ટીએમસી સાંસદ સૌગતા રોયે ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સીએમ મમતા બેનર્જીએ પહેલેથી જ કહ્યું છે કે ચૂંટણી પંચ પક્ષપાતી રીતે કાર્ય કરશે અને મોદી અને અમિત શાહના નિર્દેશો પર કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સ્કોલિયોસિસ રોગની સર્જરી કરી નવયુવાનને જીવનદાન બક્ષ્યું