AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance-Future Deal: FRLએ કહ્યું – રિલાયન્સ સ્પર્ધક છે તેથી સોદાને રદ કરવા માંગે છે એમેઝોન

Reliance-Future Deal: કિશોર બિયાનીની આગેવાનીવાળી ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે રિલાયન્સ સાથેના તેના 24,713 કરોડ રૂપિયાના વ્યવસાયને વેચવાની ડીલનો અમેઝોન વિરોધ કરી રહ્યો છે કારણ કે રિલાયન્સ તેના સ્પર્ધક છે.

Reliance-Future Deal: FRLએ કહ્યું - રિલાયન્સ સ્પર્ધક છે તેથી સોદાને રદ કરવા માંગે છે એમેઝોન
Future Group
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:20 AM

Reliance-Future Deal: કિશોર બિયાનીની આગેવાનીવાળી ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે રિલાયન્સ સાથેના તેના 24,713 કરોડ રૂપિયાના વ્યવસાયને વેચવાની ડીલનો અમેઝોન વિરોધ કરી રહ્યો છે કારણ કે રિલાયન્સ તેના સ્પર્ધક છે. યુએસની ઈ-કોમર્સ કંપનીએ જોકે આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે તેને FRL ને બચાવવામાં રસ ધરાવે છે.

ફ્યુચર રિટેલ લિ.એ ગુરુવારે ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચને કહ્યું કે એમેઝોનને ચિંતા નથી કે જો સોદો નિષ્ફળ જાય તો ભારતીય કંપનીની તમામ દુકાન બંધ કરી દેવામાં આવશે અને 25,000 કર્મચારીઓ આજીવિકા ગુમાવશે. FRL તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે અમેરિકન ઇ-કોમર્સ કંપનીની એક માત્ર ચિંતા એ છે કે મુકેશ અંબાણીની કંપનીને આ દુકાનો મળે નહીં કારણ કે તે એમેઝોનનો હરીફ છે. જો કે, એમેઝોન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો ગોપાલ સુબ્રમણ્યમ અને રાજીવ નાયરે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે ભારતીય કંપની ડૂબી ન જાય.” અમારું વલણ હજી તેને બચાવવા માટે છે.

ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો
છત કે બાલ્કની, AC નું આઉટડોર યુનિટ ક્યાં લગાવવું જોઈએ?
તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu Tips: સવારે મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...

એમેઝોને જણાવ્યું હતું કે FRL દ્વારા 2 ફેબ્રુઆરીના આદેશ સામે અપીલ કરવામાં આવી છે તે અપીલ યોગ્ય નથી. એફઆરએલને બુધવારે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં તે હુકમની અપીલ કરવામાં આવી હતી જેમાં કંપનીની રિલાયન્સ રિટેલ સાથે 24,713 કરોડ રૂપિયાના સોદાના સંબંધમાં હાલની સ્થિતી જાળવી રાખવા માટે જણાવ્યું હતું. એફઆરએલ એ નાયક એન્ડ નાયક કંપની અને હર્ષવર્ધન ઝા દ્વારા દાખલ યાચિકામાં જણાવ્યું હતું કે બે ફેબ્રુઆરીની સ્થિત જાળવી રાખવાના આદેશથી સંપૂર્ણ યોજના પાટા ઉપરથી ઉતરી જશે.

g clip-path="url(#clip0_868_265)">