AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance એ તોડયા તમામ રેકોર્ડ, શેર 2400 રૂપિયા નજીક પહોંચ્યો , આગામી સમયમાં કેવું રહેશે પ્રદર્શન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી રિલાયન્સના શેર સતત વધતા રહ્યા છે. સાપ્તાહિક ધોરણે આ સતત પાંચમું સપ્તાહ છે જ્યારે તેનો સ્ટોક સતત વધતો જાય છે. કારોબારના અંતે રિલાયન્સનું માર્કેટ કેપ હાલમાં 15.85 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

Reliance એ  તોડયા તમામ રેકોર્ડ,  શેર 2400 રૂપિયા નજીક પહોંચ્યો , આગામી સમયમાં કેવું રહેશે પ્રદર્શન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
Mukesh Ambani - Chairman , Relince Industries
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 6:00 PM
Share

સપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજાર(Share Market) સતત વધતું રહ્યું છે અને સેન્સેક્સ(Sensex)58 હજારી બની ગયો છે. આજની તેજીમાં સૌથી મોટો ફાળો રિલાયન્સ(Reliance)નો છે. આજે રિલાયન્સના સ્ટોકે નવો રેકોર્ડ બનાવ્યો છે. બપોરે 1.10 વાગ્યે રિલાયન્સનો શેર 3.5 ટકાના વધારા સાથે 2368 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. સ્ટોક કારોબારના અંતે 2395 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે બંધ થયો હતો.

અગાઉ 16 સપ્ટેમ્બર, 2020 ના રોજ રિલાયન્સનો સ્ટોક રૂ. 2369.60 ના સ્તરે પહોંચી ગયો હતો, જે અત્યાર સુધીનો ઓલટાઇમ હાઇ હતો.  છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી રિલાયન્સના શેર સતત વધતા રહ્યા છે. સાપ્તાહિક ધોરણે આ સતત પાંચમું સપ્તાહ છે જ્યારે તેનો સ્ટોક સતત વધતો જાય છે. કારોબારના અંતે રિલાયન્સનું માર્કેટ કેપ હાલમાં 15.85 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું.

Just Dial ખરીદ્યા બાદ રિલાયન્સના શેરમાં વધારો થયો છે આજે રિલાયન્સના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે કંપનીએ જસ્ટ ડાયલમાં કંટ્રોલિંગ હિસ્સો ખરીદ્યો છે. રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલમાં 25.35 ટકા હિસ્સો ફરીથી ખરીદ્યો છે. હવે જસ્ટ ડાયલમાં રિલાયન્સનો હિસ્સો વધીને 40.98 ટકા થયો છે.

રિલાયન્સ રિટેલનો બિઝનેસ સારો રહેવાની ધારણા છે બજારના જાણકારોનું કહેવું છે કે જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલનો કારોબાર ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. બીજી લહેર બાદ ફરી એકવાર છૂટક બજારની માંગ વધી છે, જેના કારણે રિલાયન્સ રિટેલનું પ્રદર્શન સુધરવાની ધારણા છે. રિલાયન્સના રિફાઇનરી બિઝનેસમાં પણ સુધારો દેખાવા લાગ્યો છે. આર્થિક અને બજાર નિષ્ણાતોનું કહેવું છે કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવશે જે રિટેલ અને રિફાઇનરી બિઝનેસને વેગ આપશે.

રિલાયન્સ જિયો માટે સારા સમાચાર જો તમે Jio પ્લેટફોર્મના બિઝનેસ પર નજર નાખો તો વોડાફોન આઈડિયા વિશે સતત ખરાબ સમાચાર આવે છે. તેના 28 કરોડ યુઝર્સ છે. ભારે ઝડપ સાથે આ વપરાશકર્તાઓ રિલાયન્સ જિયો અને એરટેલ તરફ વળી રહ્યા છે. આને કારણે જિયોનું પ્રદર્શન વધુ સારું થવાની અપેક્ષા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલના નિષ્ણાતો કહે છે કે વોડાફોનના પતન સાથે, જિયોને દર મહિને 7 મિલિયન નવા વપરાશકર્તાઓ મળવાની અપેક્ષા છે. આ સાથે જિયો ગૂગલના સહયોગથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે આની પણ સકારાત્મક અસર પડશે. આ ફોન 10 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહ્યો છે.

રિલાયન્સનો શેર 2500 સુધી પહોંચી શકે છે રિલાયન્સના શેરની કિંમત વિશે વાત કરતા એક અહેવાલમાં ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના સચ્ચિદાનંદ ઉતેકર કહે છે કે 2300 પછી આ બ્રેક આઉટ સાથે રિલાયન્સનો શેર 2440 થી 2460 ના સ્તરે પહોંચી શકે છે. સપ્ટેમ્બરમાં આ સ્તર શક્ય છે, 2500 ની સંભાવનાને પણ નકારી શકાય નહીં.

આ પણ વાંચો : Closing Bell : તેજીના જુવાળ વચ્ચે શેરબજારે ફરી સર્વોચ્ચ સપાટી નોંધાવી , Reliance એ નવું All Time High Level નોંધાવ્યું

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">