AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI RULES : બેંકનો રિકવરી એજન્ટ લોનની વસૂલાત માટે પરેશાન કરે છે? જાણો RBI નો આ નિયમ

બેંકના રિકવરી એજન્ટ લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસૂલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે દુકાને પહોંચી જ હંગામો મચાવે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો ડરવાની જરૂર નથી.

RBI RULES : બેંકનો રિકવરી એજન્ટ લોનની વસૂલાત માટે પરેશાન કરે છે? જાણો RBI નો આ નિયમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 9:59 AM
Share

બેંકના રિકવરી એજન્ટ(Bank Recovery Agent) લોનની EMI ભરવામાં વિલંબ થાય એટલે વારંવાર ગ્રાહકોને લોનની વસૂલાત માટે હેરાન કરે છે. વારંવાર ફોન કરીને ધમકીઓ આપે છે. તેઓ ઘરે કે દુકાને પહોંચી જ હંગામો મચાવે છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો ડરવાની જરૂર નથી. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે.

તાજેતરમાં સંસદના સત્ર દરમિયાન એક સભ્ય દ્વારા પૂછવામાં આવતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે બેંકોને આવું ન કરવા માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. તે ફરી એકવાર આરબીઆઈ દ્વારા ખાતરી કરશે કે બેંકો આ રીતે લોનની વસૂલાત બંધ કરે અને ગ્રાહક સાથે માનવતા અને સંવેદનશીલતા સાથે વર્તે તે જરૂરી છે.

RBIની માર્ગદર્શિકા શું કહે છે?

આરબીઆઈએ સરકારી અને ખાનગી સહિત દેશની તમામ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ લોનની વસૂલાત માટે ગ્રાહકો સાથે ગેરવર્તન ન કરે. આ માટે કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે

  1. બેંકો અથવા અન્ય ધિરાણ આપતી કંપનીઓ માટે તેમની તમામ લોન રિકવરી એજન્સીઓ વિશે તેમની વેબસાઇટ પર માહિતી આપવી ફરજિયાત છે.
  2. બેંકના લોન રિકવરી એજન્ટ ગ્રાહકને શારીરિક, માનસિક કે મૌખિક કોઈપણ સ્વરૂપે હેરાન કરી શકતા નથી.
  3. આ વસૂલાત એજન્ટો કોઈપણ રીતે ઉધાર લેનારાઓને અયોગ્ય, ધમકીભર્યા સંદેશા મોકલી શકતા નથી.
  4. આ રિકવરી એજન્ટો ગ્રાહકોને અનામી અથવા ખોટા નામ આપીને કૉલ કરી શકતા નથી.
  5. એટલું જ નહીં, આ એજન્ટો ગ્રાહકોને સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી ફોન કરી શકતા નથી.

ડિજિટલ લોન કંપનીઓ માટે પણ માર્ગદર્શિકા છે.

દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ડિજિટલ લોન આપતી કંપનીઓ માટે લોન રિકવરી અંગેના નિયમો પણ નક્કી કર્યા છે.

  1. ડિજિટલ લોન કંપનીઓએ ગ્રાહકને લોન આપતી વખતે તેમના રિકવરી એજન્ટ્સની પેનલ વિશે માહિતી આપવી પડશે.
  2. માત્ર જાહેર અને નિમણુંક પામેલા સત્તાવાર એજન્ટો ગ્રાહકનો સંપર્ક કરી શકે છે.
  3. લોન ડિફોલ્ટના કિસ્સામાં, ડિજિટલ લોન કંપનીઓએ ગ્રાહકોને તેમના રિકવરી એજન્ટ વિશે અગાઉથી જાણ કરવી પડશે જે તેમનો સંપર્ક કરશે.
  4. રિકવરી એજન્ટ ગ્રાહકનો સંપર્ક કરી શકે તે પહેલા ડિજિટલ લોન કંપનીઓએ SMS અથવા ઈમેલ દ્વારા અગાઉથી જાણ કરવી પડશે.
  5. ધાકધમકી કે ભય ફેલાવવાના કિસ્સામાં ફરિયાદ દાખલ થશે

g clip-path="url(#clip0_868_265)">