AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર ફટકાર્યો 36 લાખ રૂપિયાનો દંડ, ગ્રાહકોની સુરક્ષા સંબંધિત નિયમોના ઉલ્લંઘનનો આરોપ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) શુક્રવારે કહ્યું કે તેણે ગ્રાહક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરકારી ધિરાણ આપનાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર 36 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

RBIએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર ફટકાર્યો 36 લાખ રૂપિયાનો દંડ, ગ્રાહકોની સુરક્ષા સંબંધિત નિયમોના ઉલ્લંઘનનો આરોપ
RBI Governor Shaktikanta Das (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:58 PM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ગ્રાહક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સરકારી ધિરાણકર્તા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (Central Bank of India) પર 36 લાખ રૂપિયાનો દંડ (Fine) ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે તેણે 18 એપ્રિલ 2022ના રોજ જાહેર કરેલા આદેશમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર 36 લાખ રૂપિયાનો નાણાકીય દંડ (Penalty) લગાવ્યો છે. આ દંડ તેમણે ગ્રાહક સુરક્ષા – અનધિકૃત બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોની મર્યાદિત જવાબદારી પર અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કર્યો છે.

રેગ્યુલેટરે કહ્યું કે આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની જોગવાઈઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ક્ષતિઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે નિર્ણય લેવાનો નથી.

આરબીઆઈએ કરી હતી તપાસ

RBI એ 31 માર્ચ 2020 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિ અંગે નિરીક્ષણ હાથ ધર્યું હતું. તેમાં સૂચનાઓનું યોગ્ય પાલન ન થયું હોવાનું સામે આવ્યું હતું. બેંક નોટિફિકેશનની તારીખથી 10 કામકાજના દિવસોમાં ગ્રાહકના ખાતામાં અનધિકૃત ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં સામેલ રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી. નિયમનકારે જણાવ્યું હતું કે તેણે બેંકને નોટિસ મોકલી છે, જેમાં જણાવેલ નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવો જોઈએ તેનો જવાબ આપવાનું સૂચન કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોટિસના બેંકના જવાબને ધ્યાનમાં લીધા પછી અને ખાનગી સુનાવણીમાં કરવામાં આવેલી મૌખિક રજૂઆતો અને તેના દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતોની તપાસ કર્યા પછી, આરબીઆઈ આ નિષ્કર્ષ પર આવી છે કે RBI ની સૂચનાઓનું પાલન ન કરવાના આરોપને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેના પર યોગ્ય નાણાકીય દંડ લાદવામાં આવે છે.

અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલની શરૂઆતમાં ચાર સહકારી બેંકો પર દંડ લગાવ્યો હતો. દંડની રકમ 4 લાખ રૂપિયા છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, આ સહકારી બેંકો સામે નિયમનકારી નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહી અવારનવાર થાય છે અને જે બેંકો રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરતી નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. કાર્યવાહીમાં દંડ ઉપરાંત, પ્રતિબંધો પણ લાદવામાં આવે છે.

આ પણ વાંચો : GOOD NEWS : ICICI બેંકે બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો, હવે ફિક્સ્ડ ડિપોઝિટથી થશે વધુ આવક

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">