રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બુધવારે ડિજિટલ ધિરાણ માટે કડક નિયમો જાહેર કર્યા છે. આ અંતર્ગત સેન્ટ્રલ બેંકે કહ્યું કે ડિજિટલ લોન કોઈ થર્ડ પાર્ટી દ્વારા નહીં પણ સીધા જ લોન લેનારાઓના બેંક ખાતામાં જમા કરાવવી જોઈએ. ડિજિટલ ધિરાણ ક્ષેત્રમાં વધી રહેલી ગેરરીતિઓને રોકવા માટે આરબીઆઈએ આ કડક ધોરણો ઘડ્યા છે. આ ઉપરાંત આરબીઆઈએ કહ્યું કે ક્રેડિટ મધ્યસ્થી પ્રક્રિયામાં LSP ને ચૂકવવાપાત્ર ફી ડિજિટલ ધિરાણ સંસ્થાઓએ ચૂકવવી જોઈએ લોન લેનારાઓએ નહીં. ઉલ્લેખનીય છે કે RBI એ 13 જાન્યુઆરી 2021 ના રોજ ઓનલાઈન પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ધિરાણ સહિત ડિજિટલ ધિરાણ (WGDL) પર કાર્યકારી જૂથની રચના કરી હતી.
ડિજિટલ ધિરાણ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરતી વખતે આરબીઆઈએ મુખ્યત્વે બેલગામ થર્ડ પાર્ટી જોડાણો, મિસસેલિંગ, ડેટા ગોપનીયતા ઉલ્લંઘન, અયોગ્ય વ્યવસાય વ્યવહારો, અતિશય વ્યાજ દરો અને અનૈતિક રિકવરી પદ્ધતિઓ સંબંધિત ચિંતાઓનો ઉલ્લેખ કર્યો હતો. RBI એ 13 જાન્યુઆરી 2021 ના રોજ ઓનલાઈન પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ધિરાણ સહિત ડિજિટલ ધિરાણ (WGDL) પર કાર્યકારી જૂથની રચના કરી હતી. મધ્યસ્થ બેંકે વધુમાં જણાવ્યું હતું કે નિયમનકારી ચિંતાઓને ઘટાડીને ડિજિટલ ધિરાણ પદ્ધતિઓ દ્વારા ધિરાણની પદ્ધતિસરની વૃદ્ધિને સમર્થન આપવા માટે નિયમનકારી માળખું મજબૂત કરવામાં આવ્યું છે. આ નિયમનકારી માળખું એ સિદ્ધાંત પર આધારિત છે કે ધિરાણનો વ્યવસાય ફક્ત એવી સંસ્થાઓ દ્વારા જ ચાલવો જોઈએ, જે રિઝર્વ બેંક દ્વારા નિયંત્રિત હોય અથવા જેને અન્ય કોઈ કાયદા હેઠળ આમ કરવાની પરવાનગી આપવામાં આવી હોય.
દરખાસ્તો અનુસાર ગ્રાહકો સાથે સંબંધિત ડેટાની સુરક્ષાને લઈને પણ કડકાઈ કરવામાં આવી છે. ડિજિટલ ધિરાણ એપ્સની મદદથી એકત્રિત કરવામાં આવેલી માહિતી માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે અને તેનું ઓડિટ પણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ સાથે, માહિતીનો ઉપયોગ કરવા માટે ગ્રાહકની મંજૂરી જરૂરી રહેશે જ્યારે આગળ ગ્રાહકને આ મંજૂરી પાછી ખેંચી લેવાનો અધિકાર પણ મળી શકે છે. ગ્રાહક તેની માહિતી DLA અને ધિરાણ સેવા પ્રદાતા પાસેથી ડિલીટ પણ કરાવી શકે છે.
ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રના પુણે સ્થિત રુપી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. રિઝર્વ બેંકના આ પગલાને કારણે બેંકના ગ્રાહકોના જમા નાણાં બેંકમાં અટવાઈ ગયા છે કારણ કે રિઝર્વ બેંકનું કહેવું છે કે બેંક તેના તમામ થાપણદારોના પૈસા પરત કરવાની સ્થિતિમાં નથી. 6 અઠવાડિયા પછી બેંકે પોતાનો વ્યવસાય બંધ કરવો પડશે.