રતન ટાટાએ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કર્યા, બિગ બુલ હસમુખ અને દયાળુ હતા : ટાટા

રાકેશ ઝુનઝુનવાલા તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકો છોડી ગયા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ રહેતા હતા. તેમની કિડનીમાં થોડી સમસ્યા હતી.

રતન ટાટાએ રાકેશ ઝુનઝુનવાલાને યાદ કર્યા, બિગ બુલ હસમુખ અને દયાળુ હતા : ટાટા
My sympathies are with his family :TATA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 6:05 AM

ટાટા ગ્રૂપ(TATA Group)ના માનદ ચેરમેન રતન ટાટા(Ratan Tata)એ રવિવારે જણાવ્યું હતું કે જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ને તેમના ઉમદા વ્યક્તિત્વ, દયા અને દૂરંદેશી માટે હંમેશા યાદ કરવામાં આવશે. શેર બજારોની તેમની ઊંડી સમજણ માટે તેઓ જાણીતા હતા. ઝુનઝુનવાલાએ ટાટા જૂથના યુનિટ ટાઇટન સહિત ત્રણ ડઝનથી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું હતું. આ સિવાય તેમના પોર્ટફોલિયોમાં સ્ટાર હેલ્થ, રેલીસ ઈન્ડિયા, એસ્કોર્ટ્સ, કેનેરા બેંક, ઈન્ડિયન હોટેલ્સ કંપની, એગ્રો ટેક ફૂડ્સ, નઝારા ટેક્નોલોજીસ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.

રતન ટાટાએ તેમના શોક સંદેશમાં કહ્યું કે ઝુનઝુનવાલાને ભારતના શેરબજારો વિશેની તેમની ઊંડી સમજણ માટે હંમેશા યાદ કરવામાં આવશે. રાકેશને તેમના ખુશખુશાલ વ્યક્તિત્વ, દયા અને દૂરંદેશી માટે પણ યાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મારી સંવેદના તેમના પરિવાર સાથે છે જેમણે આ મોટી ખોટનો બોજ ઉઠાવવો પડશે. ઉલ્લેખનીય છે કે ઝુનઝુનવાલાનું રવિવારે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

62 વર્ષની વયે અવસાન થયું

અત્રે ઉલ્લેખનીય છે કે શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ 62 વર્ષના હતા. તેમની કુલ સંપત્તિ 5.8 બિલિયન ડોલર એટલે રૂ. 46,000 કરોડ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઝુનઝુનવાલાની તાજેતરમાં શરૂ થયેલી એરલાઇન આકાશ એરના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઝુનઝુનવાલાને રવિવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. તેમના ભાઈના દુબઈથી આગમન બાદ રવિવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ રહેતા હતા

રાકેશ ઝુનઝુનવાલા તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકો છોડી ગયા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ રહેતા હતા. તેમની કિડનીમાં થોડી સમસ્યા હતી. તેમના છેલ્લા જાહેર કાર્યક્રમમાં તેઓ વ્હીલચેરમાં આવ્યા હતા.

ઝુનઝુનવાલાએ તેમના કોલેજકાળ દરમિયાન માત્ર રૂ. 5,000ની મૂડી સાથે ભારતીય શેરબજારોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તાજેતરમાં જેટ એરવેઝના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબે અને ઈન્ડિગોના ભૂતપૂર્વ વડા આદિત્ય ઘોષ સાથે મળીને દેશની નવી સસ્તું એરલાઈન ‘આકાશ એર’ શરૂ કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">