AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન ધન યોજના: ઝીરો બેલેન્સથી ખોલાવો ખાતું, સાથે જ આ રીતે મેળવો 10,000 રૂપિયાનો લાભ

જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે. આમાં અકસ્માત વીમો, ઓવરડ્રાફ્ટ સુવિધા, ચેકબુક સહિત અન્ય ઘણા લાભો પણ ઉપલબ્ધ છે.

જન ધન યોજના: ઝીરો બેલેન્સથી ખોલાવો ખાતું, સાથે જ આ રીતે મેળવો 10,000 રૂપિયાનો લાભ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 8:20 PM
Share

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) હેઠળ ઝીરો બેલેન્સ પર બેંક ખાતાઓની (Bank Account) સંખ્યા 41 કરોડને પાર કરી ગઈ છે. ખાતાધારકોને PMJDY હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં ઘણી સુવિધાઓ મળે છે. જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ સિવાય રુપે ડેબિટ કાર્ડની (Rupay Debit Card) સુવિધા આપવામાં આવી છે, જેથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો અને શોપિંગ પણ કરી શકો.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના તે જ વર્ષે 28 ઓગસ્ટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાન્યુઆરી, 2021 સુધીમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા વધીને 41.6 કરોડ થઈ ગઈ હતી, સરકારે વધુ સુવિધાઓ અને લાભો સાથે 2018માં આ યોજનાનું બીજું સંસ્કરણ શરૂ કર્યું.

10 હજાર રૂપિયા ઉપાડવાની સુવિધા

જન ધન ખાતાના પણ ઘણા ફાયદા છે. જો તમારી પાસે જન ધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી વધારાના 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઓવરડ્રાફ્ટ સુવિધા એક એવી સુવિધા છે, જેના હેઠળ ખાતાધારક તેના ખાતામાં પૈસા ન હોવા છતાં પણ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.

એટલે કે ખાતાધારકના ખાતામાં બેલેન્સ શૂન્ય છે તો પણ 10,000 રૂપિયા મળશે. જો કોઈ પણ પ્રધાનમંત્રી જન ધન ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તો તે ખાતા પર ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે નહીં. આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે.

ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટેની શરત

આ સુવિધાનો લાભ લેવા માટે ખાતાધારકે પહેલા 6 મહિના સુધી ખાતામાં પૂરતા પૈસા રાખવાના હોય છે અને આ સમય દરમિયાન તેણે આ ખાતા સાથે સમયાંતરે વ્યવહારો કરતા રહેવું જોઈએ. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટે તમારું જન ધન ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ. જો નહીં તો માત્ર 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે.

જન ધન ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો

જન ધન ખાતું ખોલવા માટે તમે પણ આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત નો યોર કસ્ટમર (KYC) ની જરૂરિયાતને પૂર્ણ કરતા દસ્તાવેજો સબમિટ કરી શકો છો. જો તમારી પાસે દસ્તાવેજો નથી તો તમે નાનું ખાતું ખોલી શકો છો. આમાં તમારે બેંક અધિકારીની સામે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને તમારી સહી ભરવાની રહેશે. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.

આ પણ વાંચો :  Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">