AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF vs EPF vs VPF: જાણો ક્યા મળે છે વધારે રીટર્ન અને રોકાણ કરતા પહેલા કઈ વાતનું રાખવું જોઈએ વિશેષ ધ્યાન

નાણાકીય નિષ્ણાતો સલાહ આપતા હોય છે કે જો તમે નોકરી કરો છો તો PPFને બદલે VPF પસંદ કરવું વધુ ફાયદાકારક છે. જો પગારદાર વ્યક્તિ તેના પીએફ ખાતામાં 12 ટકાથી વધુ યોગદાન આપવા માંગે છે તો તે આમ કરી શકે છે.

PPF vs EPF vs VPF: જાણો ક્યા મળે છે વધારે રીટર્ન અને રોકાણ કરતા પહેલા કઈ વાતનું રાખવું જોઈએ વિશેષ ધ્યાન
PPF Account
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:35 PM
Share

PPF vs EPF:  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બંને સરકાર સમર્થિત નિવૃત્તિ યોજનાઓ છે. EPF મુખ્યત્વે પગારદાર વ્યક્તિ માટે રચાયેલ છે. તે જ સમયે પીપીએફ સામાન્ય લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ અને જાહેર ભવિષ્ય નિધિ બંને હેઠળ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર કલમ 80C હેઠળ કપાતનો લાભ મળે છે.

નાણાકીય નિષ્ણાતો ભલામણ કરે છે કે જો તમે નોકરી કરો છો તો PPFને બદલે VPF પસંદ કરવું વધુ ફાયદાકારક છે. સેબી રજિસ્ટર્ડ ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે જો કોઈ પગારદાર વ્યક્તિગત ટેક્સ બચાવવાનું વિચારી રહ્યો હોય તો વીપીએફ પીપીએફ કરતાં વધુ સારો વિકલ્પ છે. વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)માં વ્યાજ દર 8.5%છે, જે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ જેટલું  છે. તે જ સમયે PPF પર વ્યાજ દર હાલમાં 7.1 ટકા છે.

પગારદાર વ્યક્તિઓ સરળતાથી VPFમાં રોકાણ કરી શકે છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના નિયમો અનુસાર જો કોઈ પગારદાર વ્યક્તિ તેના ભવિષ્ય નિધિ ખાતામાં 12 ટકાથી વધુ યોગદાન આપવા માંગે છે તો તે આમ કરી શકે છે. આ માટે તેણે પોતાની કંપનીના એચઆરનો સંપર્ક કરવો પડશે. તે જોઈનિંગ વખતે અથવા કોઈપણ નાણાકીય વર્ષની શરૂઆતમાં આમ કરી શકે છે. VPF હેઠળ એમ્પ્લોયરનો હિસ્સો વધતો નથી. તેથી જ તેને કોઈ સમસ્યા થશે નથી.

જો તમને વચ્ચે પૈસા જોઈએ છે તો PPF પસંદ કરો

VPF અને PPF વચ્ચે પસંદગી કરતી વખતે વધુ એક બાબત ધ્યાનમાં રાખો કે શું તમે માત્ર નિવૃત્તિ ફંડ વિશે વિચારી રહ્યા છો અથવા થોડા વર્ષો પછી આ ફંડનો ઉપયોગ કરવા માંગો છો. PPF પાકતી મુદત પછી ઉપાડની સુવિધા પૂરી પાડે છે. જોકે આ સુવિધા EPF અને VPF સાથે ઉપલબ્ધ નથી.

VPF શું છે?

વાપીએફનું પૂરું નામ વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ છે. આ ઈપીએફનું વિસ્તરણ છે અને તેના કારણે માત્ર નોકરી ધરાવતા લોકો જ તેને ખોલી શકે છે. જ્યારે તમે EPF ખાતામાં વધારાના પૈસા જમા કરો છો, ત્યારે તેને VPF કહેવાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારા પગારમાંથી ઈપીએફના 3000 રૂપિયા કાપવામાં આવે છે અને તેને ઈચ્છા મુજબ વધારીને 4000 કે 5000 કરો તો વધારાના પૈસા વીપીએફ છે. તે EPFના 12 ટકાથી અલગ છે.

કોણ ખોલી શકે?

EPF એકાઉન્ટ ધરાવતા લોકો જ આનો લાભ લઈ શકે છે. આ માટે કોઈ અલગ ખાતું નથી, તમારે ફક્ત તમારા PF ખાતામાં વધુ પૈસા જમા કરાવવાના રહેશે. બેરોજગાર લોકો અને અસંગઠિત ક્ષેત્રના લોકો આનો લાભ લઈ શકતા નથી.

કેટલું મળે છે વ્યાજ? 

VPF એક અલગ ખાતું નથી, તે EPFમાં ફક્ત તમારો વધારાનો હિસ્સો છે. તેથી, આના પર સમાન વ્યાજ ઉપલબ્ધ છે જે PF એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. જે વર્ષે પીએફ પર જે વ્યાજનો દર હોય છે, તેટલું જ વ્યાજ વીપીએફ પર ઉપલબ્ધ હોય છે. જોકે પીએફના વ્યાજ દર બદલાતા રહે છે, પરંતુ હજુ પણ તેમાં પીપીએફ ખાતા કરતાં વધુ નાણાં મળતા હોય છે.

(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી  નફા કે નુક્સાન સાથે અમારા  કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)

આ પણ વાંચો :  હવે તમારો Aadhaar Card બન્યો વધુ સુરક્ષિત, જાણો સરકારે શું કર્યો ફેરફાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">