Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી

અદાણીએ કહ્યું કે, 2050 સુધીમાં જેમ કે તેનો અંદાજ છે ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે જ્યાં કોઈ ભૂખ્યા સુઈ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત આ લક્ષ્યાંક 10,000 દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે.

જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:51 AM

અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન અને ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી(Gautam Adani)એ કહ્યું છે કે જો ભારત 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે તો દેશમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં સૂવે. તેમણે ગુરુવારે એક ઇકોનોમિક કોન્ક્લેવમાં આ વાત કહી હતી. ગૌતમ અદાણીએ કહ્યુંહયી કે “આપણે 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ. આ સમય દરમિયાન મને લાગે છે કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં 25 ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરીશું. આનો અર્થ એ છે કે જીડીપીમાં દરરોજ 2.5 બિલિયન ડોલર ઉમેરવું. મને એમ પણ લાગે છે કે આ સમય દરમિયાન આપણે દરેક પ્રકારની ગરીબી દૂર કરીશું.

તે મેરેથોન જેવી સ્પ્રિન્ટ ફીલિંગ છે

તેમણે કહ્યું કે, 2050 સુધીમાં જેમ કે તેનો અંદાજ છે ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે જ્યાં કોઈ ભૂખ્યા સુઈ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત આ લક્ષ્યાંક 10,000 દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે. અદાણીના મતે જો બધું અનુમાન મુજબ થાય છે તો આ 10,000 દિવસોમાં શેરબજારનું મૂડીકરણ 40 ટ્રિલિયન ડોલર થઈ જશે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન શેરબજારની મૂડીમાં દરરોજ 4 બિલિયન ડોલરનો વધારો થશે. ગૌતમ અદાણીના મતે “140 કરોડ લોકોના જીવનધોરણમાં સુધારો કરવો એ ટૂંકા ગાળામાં મેરેથોન જેવું લાગે છે પરંતુ લાંબા ગાળે તે એક સ્પ્રિન્ટ છે.”

2021માં અદાણીની સંપત્તિમાં સૌથી ઝડપથી વધારો થયો

અદાણી ગ્રૂપના ચેરમેનની સંપત્તિ, જેણે વિવિધ વ્યવસાયોમાં પ્રભુત્વ જમાવ્યું છે, 2021 માં વિશ્વના 2 સૌથી ધનિક વ્યક્તિઓ, એલોન મસ્ક અને જેફ બેઝોસ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામી. મસ્ક અને બેઝોસની કુલ સંપત્તિમાં $81 બિલિયનનો વધારો થયો છે જ્યારે એકલા અદાણીની સંપત્તિમાં $49 બિલિયનનો વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ 20-03-2025
ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો

ભારતમાં ગરીબીનો દર ઘટ્યો

વિશ્વ બેંકે કહ્યું છે કે ભારતમાં 2011 અને 2019 વચ્ચે ગરીબીના દરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નવા રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતમાં ગરીબી દરમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વધુ ઘટી છે. ગ્રામીણ ગરીબી દર 2011માં 26.3 ટકા હતો, જે 2019માં ઘટીને 11.6 ટકા થઈ ગયો. તે જ સમયે, જો આપણે શહેરી ગરીબીની વાત કરીએ તો તે 14.2 ટકાથી ઘટીને 6.3 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચો : GOLD : દેશમાં Gems and Jewellery exportsમાં 56%નો ઉછાળો આવ્યો, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું

આ પણ વાંચો : Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
g clip-path="url(#clip0_868_265)">