AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price in India: હજુ પણ ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કરી આ મહત્વની વાત

જો પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને એકલ, રાષ્ટ્રવ્યાપી GST શાસન હેઠળ લાવવામાં આવશે તો કર વધુ ઘટશે અને કેન્દ્ર અને રાજ્યો બંનેને વધુ આવક થશે.

Petrol Diesel Price in India: હજુ પણ ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ કરી આ મહત્વની વાત
Nitin Gadkari (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 5:32 PM
Share

Petrol Diesel Price in India: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Union minister Nitin Gadkari )એ જણાવ્યું હતું કે જો પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને એકલ, રાષ્ટ્રવ્યાપી GST શાસન હેઠળ લાવવામાં આવશે તો કર વધુ ઘટશે અને કેન્દ્ર અને રાજ્યો બંનેને વધુ આવક થશે. એક કાર્યક્રમમાં મીડિયાને સંબોધતા નીતિન ગડકરીએ જણાવ્યુ હતું કે ‘જો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Finance minister Nirmala Sitharaman)ને રાજ્ય સરકારોનું સમર્થન મળશે તો ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો પ્રયાસ કરશે.’

વધુમાં જણાવતા કહ્યું હતું કે “રાજ્યોના નાણાપ્રધાનો પણ “GST કાઉન્સિલમાં સભ્ય છે. કેટલાક રાજ્યો પેટ્રોલ અને ડીઝલને GST શાસન હેઠળ લાવવાના વિરોધમાં છે. જો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં આવશે તો આ ઉત્પાદનો પરના ટેક્સમાં ઘટાડો થશે અને કેન્દ્ર અને રાજ્યો બંનેની આવકમાં વધારો થશે,”.

સપ્ટેમ્બરમાં GST કાઉન્સિલે કેરળ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા મુદ્દા પર ચર્ચા કરી અને પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સામે નિર્ણય કર્યો. રાજ્યોએ દરખાસ્તનો વિરોધ કર્યો હોવાથી કાઉન્સિલે પેટ્રોલ, ડીઝલને GSTના દાયરામાં બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. GST હેઠળ પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાથી નજીકના રેકોર્ડ-ઉંચા દરોમાં ઘટાડો થશે. પરંતુ વર્તમાન એક્સાઈઝ ડ્યુટી અને વેટ (મૂલ્ય વર્ધિત કર)ને એક રાષ્ટ્રીય દરમાં સબમિટ કરવાથી આવક પર અસર થશે.

આપને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં GST કાઉન્સિલે કેરળ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવેલા મુદ્દા પર ચર્ચા કરી અને પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સામે નિર્ણય કર્યો હતો. રાજ્યોએ દરખાસ્તનો વિરોધ કર્યો હોવાથી કાઉન્સિલે પેટ્રોલ, ડીઝલને GSTના દાયરામાં બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. GST હેઠળ પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાથી નજીકના રેકોર્ડ-ઉંચા દરોમાં ઘટાડો થશે. પરંતુ વર્તમાન એક્સાઈઝ ડ્યુટી અને વેટ (value-added tax)ને એક રાષ્ટ્રીય દરમાં સબમિટ કરવાથી આવક પર અસર થશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે કાઉન્સિલે આ મુદ્દા પર ચર્ચા કરી કારણ કે કેરળ હાઈકોર્ટે (Keral High Court) તેને આમ કરવાનું કહ્યું હતું, પરંતુ લાગ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ સામેલ કરવાનો આ યોગ્ય સમય નથી. GST કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું હતું કે “કેરળની હાઈકોર્ટને જાણ કરવામાં આવશે કે તેની ચર્ચા કરવામાં આવી હતી અને GST કાઉન્સિલને લાગ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTમાં લાવવાનો આ સમય નથી,”

ગડકરીએ તાજેતરના એક્સાઈઝ ડ્યુટી કટ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે “કેન્દ્રએ જે રીતે સામાન્ય માણસને રાહત આપી છે (પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે ₹5 અને ₹10 પ્રતિ લીટરનો ઘટાડો કરીને), એવી અપેક્ષા છે કે રાજ્યો પણ ડીઝલ પરના કર (વેટના દર)માં ઘટાડો કરશે અને સામાન્ય માણસને રાહત આપશે”

આ પણ વાંચો: India vs new zealand : ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ બાદ ટેસ્ટમાં પણ આ 3 ભારતીય ખેલાડીઓની પસંદગી નહીં થાય!

આ પણ વાંચો: Surat : CNGના ભાવ વધતા હવે સુરત સ્ટેશન ઓટો યુનિયન દ્વારા ભાડું પાંચ રૂપિયા સુધી વધારવામાં આવ્યું

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">