AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ખાતાધારક મૃત્યુ પામે તો શું ફિક્સ ડિપોઝિટના પૈસા ડૂબી જશે? જાણો RBI નો નિયમ

RBI દ્વારા 4 નવેમ્બર 2011ના રોજ જાહેરનામા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે હયાત સંયુક્ત ધારક દ્વારા સમય પહેલા ઉપાડ માટે મૃત સંયુક્ત ધારકના કાનૂની વારસદારોની સંમતિ જરૂરી છે.

જો ખાતાધારક મૃત્યુ પામે તો શું ફિક્સ ડિપોઝિટના પૈસા ડૂબી જશે? જાણો RBI નો નિયમ
Fixed Deposit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 7:12 AM
Share

ફિક્સ ડિપોઝિટ એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ભારતમાં કરોડો લોકો દર વર્ષે બેંકોમાં ફિક્સ ડિપોઝિટ કરે છે કારણ કે તે રોકાણનું સલામત માધ્યમ છે અને સાથે સાથે  વળતરની ખાતરી પણ આપે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં વ્યાજદરમાં સતત વધારો કર્યા બાદ બેંકોએ પણ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે તેથી બેંકમાં ફિક્સ ડિપોઝીટને લઈને લોકોનું વલણ ઝડપથી વધ્યું છે. બેંકમાં મોટાભાગના થાપણદારો ઓપરેટિંગ માર્ગદર્શિકા તરીકે Either or Survivor  કલમનું પાલન કરે છે. ઘણીવાર મનમાં પ્રશ્ન ઉઠે  કે એફડીના સંયુક્તધારકના મૃત્યુના કિસ્સામાં હયાતને એફડીની રકમ મળે છે?

નિયમોની જાણકારી જરૂરી

જ્યારે એફડીના હયાત સંયુક્ત ધારક અન્ય સંયુક્ત ધારકના મૃત્યુ પછી એફડીના સમય પહેલા ઉપાડ માટે બેંકનો સંપર્ક કરે છે ત્યારે ઉપાડ માટે તમામ સંયુક્ત-ખાતા ધારકોની સહીઓ જરૂરી છે. આ સ્થિતિમાં જ્યારે સંયુક્ત ધારક અસમર્થ અથવા મૃત્યુ પામે ત્યારે તે એક મોટો પડકાર બની શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તેના પરિપત્રમાં  દાવેદાર/કાનૂની વારસદારને નોમિનેશનની ગેરહાજરીમાં પણ FDની રકમ વસૂલવામાં સક્ષમ બનાવે છે. RBI એ FD ના કિસ્સામાં નોમિનેશનના મહત્વ પર તેના જાગૃતિ અભિયાન દ્વારા ઉલ્લેખ કરે છે કે “સંયુક્ત ડિપોઝિટ ખાતાના કિસ્સામાં નોમિનીનો અધિકાર તમામ ખાતાધારકોના મૃત્યુ પછી જ ઉદ્ભવે છે.બેંક દ્વારા સંયુક્ત-ધારક અથવા મૃત થાપણ સંયુક્ત-ધારકના નોમિનીને ચૂકવણી બેંકની જવાબદારી  છે.

કાનૂની વારસદારોની સંમતિ જરૂરી?

RBI દ્વારા 4 નવેમ્બર 2011ના રોજ જાહેરનામા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે હયાત સંયુક્ત ધારક દ્વારા સમય પહેલા ઉપાડ માટે મૃત સંયુક્ત ધારકના કાનૂની વારસદારોની સંમતિ જરૂરી છે.

જો કે, ત્યાં એક ચેતવણી છે કે 4 નવેમ્બર 2011 ના પરિપત્ર મુજબ બેંકો હજુ પણ સમય પહેલા ઉપાડની મંજૂરી આપી શકે છે. જો કે તેઓએ FDના કાર્યકાળ દરમિયાન ઉક્ત હેતુ માટે થાપણદારો પાસેથી ચોક્કસ સંયુક્ત ઓર્ડર લીધો હોય. ઓર્ડર જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ FDમાં રોકાણ કરે છે ત્યારે બેંક તમામ સંયુક્ત ધારકો પાસેથી લેખિત ઓર્ડર લે છે કે હયાત સંયુક્ત ધારકને FDમાં સમય પહેલા ચૂકવણી કરવાની પરવાનગી છે.

g clip-path="url(#clip0_868_265)">