AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાન અને આધાર નથી કરાવ્યું લિંક? તો શું થશે હવે, આ અંગે આવકવેરા વિભાગે કરી સ્પષ્ટતા

PAN નો ઉપયોગ બેંક ખાતું ખોલવા, સ્થાવર મિલકત ખરીદવા જેવા ઘણા વ્યવહારો માટે તેમજ ઓળખના પુરાવા તરીકે  થાય છે. એકવાર તમારું PAN નિષ્ક્રિય થઈ જાય પછી, વ્યક્તિ નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં જેમાં PAN આપવું ફરજિયાત છે.

પાન અને આધાર નથી કરાવ્યું લિંક? તો શું થશે હવે, આ અંગે આવકવેરા વિભાગે કરી સ્પષ્ટતા
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:57 PM
Share

પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે. જો કે, આનો અર્થ એ નથી કે તમારું PAN નિષ્ક્રિય અને નકામું થઈ જશે. CBDT દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર, જે PANને આધાર સાથે લિંક (PAN Aadhaar Linking)  કરવામાં આવ્યું નથી તે 31 માર્ચ, 2023 પછી નિષ્ક્રિય થઈ જશે. જે કરદાતાઓ (Taxpayers) 30 જૂન, 2022 સુધીમાં તેમના PAN ને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરશે, તેમણે 500 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. આ પછી દંડ વધીને 1000 રૂપિયા થઈ જશે.

CBDT એ કહ્યું કે કરદાતાઓને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે, 29 માર્ચ, 2022ની સૂચના મુજબ, કરદાતાઓએ 31 માર્ચ, 2023 સુધીમાં કોઈપણ દંડ વિના આધાર-PAN લિંક કરવા માટે નિર્ધારિત સત્તાધિકારીને જાણ કરવાનો સમય છે. સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે આવી સૂચના સાથે લેટ ફી પણ ચૂકવવી પડશે.

 ચૂકવવી પડશે ફી

આવકવેરા વિભાગે 30 માર્ચના રોજ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, તેથી, કલમ 234H અને વર્તમાન નિયમ 114AAAના સરળ અમલીકરણ માટે, નિયમો ઘડવામાં આવ્યા છે. વ્યક્તિ, જેનો કાયમી એકાઉન્ટ નંબર નિષ્ક્રિય થઈ ગયો છે, તેણે અધિનિયમ હેઠળ તેનો કાયમી એકાઉન્ટ નંબર આપવાનો અથવા તેની જાણ કરવાની જરૂર રહેશે.

એવું માનવામાં આવશે કે તેણે અધિનિયમની જોગવાઈઓ અનુસાર કાયમી એકાઉન્ટ નંબર આપ્યો નથી અને તે રજૂ ન કરવા બદલ અધિનિયમ હેઠળના તમામ પરિણામો માટે જવાબદાર ગણવામાં આવશે. આગળ જણાવ્યું હતું કે તે 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે અને 1 એપ્રિલ 2020થી શરૂ થતા અને 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થતા સમયગાળા દરમિયાન, આ પેટા-નિયમના નકારાત્મક પરિણામો આવશે નહીં. જો કે, કરદાતાએ નિયમ 114 ના પેટા-નિયમ (5A) મુજબ ફી ચૂકવવાની રહેશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">