AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલપંપ ખોલવાની મોટી તક, જાણો કેવી રીતે મેળવશો દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસેથી ડીલરશીપ, આ રહી પુરી પ્રોસેસ

જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. હવે તમે પેટ્રોલ પંપ ડીલર બનીને સરળતાથી કમાણી કરી શકો છો.

પેટ્રોલપંપ ખોલવાની મોટી તક, જાણો કેવી રીતે મેળવશો દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસેથી ડીલરશીપ, આ રહી પુરી પ્રોસેસ
Petrol Pump (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:49 PM
Share

જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. હવે તમે પેટ્રોલ પંપ ડીલર બનીને (Petrol Pump Dealer) સરળતાથી કમાણી કરી શકો છો. દેશની દિગ્ગજ કંપની જીઓ-બીપી (Jio-BP) તમને આ તક આપી રહી છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે પેટ્રોલ પંપના ડીલર બની શકો છો અને સારી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જીઓ-બીપી એ તેનું પહેલું મોબિલિટી સ્ટેશન ઓક્ટોબર 2021માં શરૂ કર્યું હતું. અહીં ગ્રાહકોને સ્પેશિયલ ટેક્નોલોજીની સાથે ફ્યુઅલ, ઈવી ચાર્જિંગ, સીએનજી, બેટરી સ્વેપ સોલ્યુશન સહિતની ઘણી વિશેષ સુવિધાઓ મળે છે.

પેટ્રોલપંપ ખોલવા માટે આટલુ કરવું પડશે રોકાણ

જો તમારે પેટ્રોલ પંપના ડીલર બનવું હોય તો શહેરમાં તમારી પોતાની જમીન હોવી જરૂરી છે. તમારી પાસે 1,200 ચોરસ મીટર, નેશનલ/સ્ટેટ હાઈવે- 3000 ચોરસ મીટર અને અન્ય રસ્તાઓની આસપાસ 2000 ચોરસ મીટરની જમીન હોવી જોઈએ. પેટ્રોલ-પંપ ખોલવા માટે લગભગ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સાથે જમીનની લાંબી લીઝ હોવી જોઈએ.

આ રીતે કરો અપ્લાય

  • તમારે પહેલા ઓફિશિયલ લિંક https://partners.jiobp.in/ પર જવું પડશે.
  • આ પછી આ પેજ પર તમારે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કરવાનું રહેશે.
  • અહીં તમારી સામે એક પેજ ખુલી જશે.
  • અહીં તમારે તમારું નામ, મેઈલ આઈડી, મોબાઈલ નંબર જેવી તમામ વિગતો ભરવાની રહેશે.

ઓફિશિયલ મેઈલ અને વોટ્સએપ પણ કરી શકાય છે

આ સિવાય તમે ઓફિશિયલ મેઈલ આઈડી jiobp.dealership@jiobp.com પર પણ મેઈલ કરી શકો છો. આ સિવાય તમે 7021722222 નંબર પર ‘હાય’ મોકલી શકો છો. આ મેસેજ તમારે વોટ્સએપ પર લખવાનો રહેશે.

કઈ જગ્યાએ ખોલી શક્શો પેટ્રોલ પંપ

જો લોકેશનની વાત કરીએ તો તમને દિલ્હીમાં પેટ્રોલ પંપ ખોલવાનો મોકો મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના ભલસ્વા જહાંગીરપુર, કરવલ નગર, કિરારી સુલેમાન નગર, નાંગલોઈ જાટ, નવી દિલ્હી સુલતાનપુર માજરા જેવા સ્થળોએ પેટ્રોલ પંપ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો :  સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">