અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(RCOM) પર નાદારીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુક કરવા અને ક્રેડિટર્સની કમિટિ બનાવવા માટે RCOMના લેણદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ પોંહચ્યા.  RCOMએ ગયા વર્ષથી નાદારી પ્રક્રિયા પર સ્ટે લીધો હતો પણ મિલકતના વેચાણમાં નિષ્ફળતા મળતા આ વર્ષે ફેબ્રુઆરીમાં જાતે જ નાદારી પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના […]

અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ
Follow Us:
| Updated on: May 08, 2019 | 3:44 AM

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(RCOM) પર નાદારીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુક કરવા અને ક્રેડિટર્સની કમિટિ બનાવવા માટે RCOMના લેણદાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ પોંહચ્યા. 

RCOMએ ગયા વર્ષથી નાદારી પ્રક્રિયા પર સ્ટે લીધો હતો પણ મિલકતના વેચાણમાં નિષ્ફળતા મળતા આ વર્ષે ફેબ્રુઆરીમાં જાતે જ નાદારી પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો. કંપનીના બોર્ડે કહ્યું હતું કે આ પગલું બધા જ સંબંધિત પક્ષોના હિતમાં હશે. તેનાથી 270 દિવસની અંદર RCOMની મિલકત વેચીને દેવું ચૂકવવાની પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કારોબારમાં નુકસાન થવાને લીધે RCOMએ 2 વર્ષ પહેલાથી જ ઓપરેશન્સ બંધ કરી દીધા છે. RCOMએ રિલાયન્સ જીયોને સ્પેકટ્રમ વેચીને નાદાર થવાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો પણ લાંબી કાયદાકીય પ્રક્રિયા અને સરકારની મંજૂરીમાં સમય લાગવાથી ડીલ થઈ શકી નહોતી.

આ વર્ષ માર્ચમાં RCOMના ચેરમેન અનિલ અંબાણીએ તેમના મોટા ભાઈની મદદથી એરિકશનના 480 કરોડ રૂપિયા ચૂકવી અને સુપ્રીમ કોર્ટના તિરસ્કારથી બચયા હતા. એરિકશન પહેલા ચાઈના ડેવલપમેન્ટ બેંક પણ નાદારી માટે કોર્ટમાં (NCLT) ગઈ હતી. RCOMએ તેમની પાસે 1 અરબ ડૉલરની લોન લીધી હતી. ત્યારબાદ RCOMએ મુંબઈ સ્થિત તેમની મુખ્ય ઓફિસનો એક ભાગ આપીને સેટલમેન્ટ કર્યુ હતું.

આ પણ વાંચો: ગોરખપુરમાં ગર્જના કરશે ગુજરાતના સિંહ, ઝુ એનીમલ એકસચેન્જ હેઠળ મોકલવાની તૈયારી

ગયા અઠવાડિયે 3 તારીખે SBIએ RCOM પર નાદારી પ્રક્રિયાને લઈને RP શોર્ટલિસ્ટ કરવા માટે મિટિંગ રાખી હતી. RCOMના ક્રેડિટર્સની કમિટીને 66 ટકા મત સાથે નવા RP માટે મંજૂરી આપવી પડશે. NCLTની મુંબઈ બેન્ચે હાલના RPને 30 મે સુધી પ્રોગ્રેસ રિપોર્ટ હાજર કરવા માટે આદેશ આપ્યો છે. તે દિવસે કેસની સુનાવણી થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">