AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ

આ પ્રક્રિયામાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં. આરબીઆઈએ સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 સુધીના તેના પાયલોટ પ્રોજેક્ટના આધારે નવું માળખું તૈયાર કર્યું છે.

હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:05 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઑફલાઈન ડિજિટલ પેમેન્ટ માટે ફ્રેમવર્ક(Framework for offline digital payment) જાહેર કર્યું છે. આ ફ્રેમવર્ક નાની રકમના બિન-રોકડ વ્યવહારોને વધુ પ્રોત્સાહન આપશે. નવા ફ્રેમવર્ક મુજબ ઑફલાઇન મોડ દ્વારા 200 સુધીના વ્યવહારો પૂર્ણ કરી શકાશે.

આ પ્રક્રિયામાં એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં. આરબીઆઈએ સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 સુધીના તેના પાયલોટ પ્રોજેક્ટના આધારે નવું માળખું તૈયાર કર્યું છે.જેમાં 1 કરોડ 16 લાખના મૂલ્યના લગભગ 2.41 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા.

ઑફલાઇન ટ્રાન્ઝેક્શન

ઑફલાઇન ટ્રાન્ઝેક્શન હવે કાર્ડ, વૉલેટ અને મોબાઇલ ડિવાઈઝ દ્વારા કરી શકાય છે. ઑફલાઇન ટ્રાન્ઝેક્શન નજીકના જ થશે, એટલે કે આવા વ્યવહારો ફક્ત ફેસ ટૂ ફેસ મોડ દ્વારા જ કરી શકાશે. ઑફલાઇન ટ્રાન્ઝેક્શન એડિશનલ વેરિફિકેશન વિના કરી શકાય છે. પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ઑફલાઇન વ્યવહારો માટેની કુલ મર્યાદા કોઈપણ એક સમયે 2,000 રૂપિયા રહેશે.

દરેક વ્યવહાર માટે એલર્ટની જરૂરી નહિ

ટ્રાન્ઝેક્શન વિગતો પ્રાપ્ત થતાંની સાથે જ પૈસા મોકલનાર યુઝર પૈસા અમેળવનારને ટ્રાન્ઝેક્શન એલર્ટ મોકલશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે એલર્ટ મોકલવાની જરૂર રહેશે નહીં. જો કે, દરેક વ્યવહારની વિગતવાર જાણ કરવામાં આવશે. ફરિયાદ નિવારણની સુવિધા રિઝર્વ બેંકના સંકલિત લોકપાલ પાસે હશે.

ઑફલાઇન વ્યવહારોથી ખરાબ અથવા નબળા ઇન્ટરનેટ અથવા ટેલિકોમ કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારો વધવાની અપેક્ષા છે. આનાથી ખાસ કરીને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે આ ફ્રેમવર્ક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં 4.75 ટકાનો ઉછાળો, કુલ ઉત્પાદન 115.70 લાખ ટન

આ પણ વાંચો : ડિસેમ્બરમાં થયો નિકાસમાં 37%નો વધારો, ત્રીજા ક્વાર્ટરમાં એક્સપોર્ટે બનાવ્યો રેકોર્ડ

જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
g clip-path="url(#clip0_868_265)">