પેન્શનરો માટે ખુશખબર, હવે NPS માં જમા સંપૂર્ણ નાણા ઉપાડી શકાશે, જાણો શું છે નવો નિયમ

પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નેશનલ પેન્શન સિસ્ટમના (National Pension Scheme) સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે.

પેન્શનરો માટે ખુશખબર, હવે NPS માં જમા સંપૂર્ણ નાણા ઉપાડી શકાશે, જાણો શું છે નવો નિયમ
Now full money which is deposited in NPS can be withdrawn
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 11:25 AM

પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નેશનલ પેન્શન સિસ્ટમના (National Pension Scheme) સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે. એટલે કે, હવે એનપીએસ સબ્સ્ક્રાઇબર્સ પેન્શન ખાતામાંથી પૂરી રકમ ઉપાડી શકશે. પીએફઆરડીએના જણાવ્યા મુજબ, જેની કુલ પેન્શન કોર્પસ 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે, તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણા ઉપાડી શકે છે.

PFRDA એ શું કહ્યું?

PFRDA એ એમ પણ કહ્યું હતું કે, પેન્શન ફંડમાંથી સમય પહેલા ઉપાડની મર્યાદા પણ હાલના 1 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં જોડાવા માટેની ઉપલી વયમર્યાદા હવે ઘટાડીને 70 વર્ષ કરવામાં આવી છે અને બહાર નીકળવાની મર્યાદા 75 વર્ષ કરી દેવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) શું છે?

એનપીએસ એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જે 2004 માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી. વર્ષ 2009 થી આ યોજના ખાનગી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજના નાણાં મંત્રાલયના પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવે છે.

ઓનલાઇન NPS ખોલી શકાય છે

1. સૌથી પહેલા Enps.nsdl.com/eNPS અથવા Nps.karvy.com પર ક્લિક કરો.

2. ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારી વિગતો અને મોબાઇલ નંબર એન્ટર કરો.

3. મોબાઇલ નંબર પર આવેલા OTP થી વેરિફાઇ કરી અને બેંક ખાતાની વિગતો ભરો.

4. તમારો પોર્ટફોલિયો અને ભંડોળને પસંદ કરો.

5. ત્યારબાદ નોમિની ડિટેલ્સ ભરો.

6. જે ખાતાની વિગતો ભરી છે, તે ખાતાનો રદ કરાયેલ ચેક આપવો પડશે.

7. રદ કરેલ ચેક, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવા પડશે.

8. તમારે એનપીએસમાં તમારું રોકાણ કરવું પડશે.

9. ચુકવણી કર્યા પછી, તમારો એકાઉન્ટ નંબર જનરેટ થશે.

10. રોકાણ કર્યા પછી, ઇ-સાઇન / પ્રિંટ નોંધણી ફોર્મ પર જાઓ. અહીં તમે પાન અને નેટ બેંકિંગ સાથે નોંધણી કરાવી શકો છો. આ સાથે તમારું કેવાયસી થઈ જશે.

હાલમાં 22 બેંકો એનપીએસની ઓનલાઇન સુવિધા આપી રહી છે. તેમની માહિતી એનએસડીએલની (NSDL) વેબસાઇટ પર મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">