AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો RBI નો આ નિયમ જે તમને પૂરેપૂરું મૂલ્ય અપાવશે

જો તમે બંડલ આપો છો અને તેમાં નોટ ફાટી ગઈ છે તો ટેલરિંગ મશીન તેને નકારે છે. આનો લાભ લઈને કેશિયર તમને નોટ પરત કરે છે. જોકે આ વ્યવહાર ખોટો છે. બેંકો ફાટેલી નોટોને નકારી શકે નહીં.

ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક  ઇન્કાર કરે છે ? જાણો RBI નો આ નિયમ જે તમને પૂરેપૂરું મૂલ્ય અપાવશે
soiled currency
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:06 AM
Share

શું તમારી પાસે ફાટેલી ચલણી નોટો છે જે કોઈ દુકાનદાર કે વેપારી નથી લઈ રહ્યા? આવી સમસ્યા ફક્ત તમારી સાથે જ નહીં પણ ઘણા લોકો સાથે થાય છે. જો નોટ થોડી પણ ફાટેલી હોય તો પેમેન્ટ કરવામાં સમસ્યા આવે છે. જો નોટ મોટી ચલણની હોય તો સમસ્યા મોટી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે વિચારી રહ્યા હશો કે વિકૃત નોટનું શું કરવું? આનો જવાબ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવ્યો છે જે તમારી સમસ્યા હળવી બનાવશે.

સામાન્ય વ્યક્તિ વ્યક્તિ ફાટેલી નોટો સીધી બેંકમાં લઈ જતા નથી. પહેલા તેને દુકાનદાર કે દુકાન ને આપવા પહેલો પ્રયત્ન કરે છે. જો આ સ્થળોએ નોટ ફગાવી દેવામાં આવે છે તો તમને તેને બેંકમાં બદલવા જાય છે. સમસ્યા અહીં પણ નથી. આવી સમસ્યાઓ બેંકોમાં પણ જોવા મળે છે જ્યારે બેંકો ફાટેલી નોટો સ્વીકારવાનો ઇનકાર કરે છે. જો તમે બંડલ આપો છો અને તેમાં નોટ ફાટી ગઈ છે તો ટેલરિંગ મશીન તેને નકારે છે. આનો લાભ લઈને કેશિયર તમને નોટ પરત કરે છે. જોકે આ વ્યવહાર ખોટો છે. બેંકો ફાટેલી નોટોને નકારી શકે નહીં. દરેક નોટ કે જેના પર નંબર છપાય છે તે લેવાની જવાબદારી બેંકની છે.

‘સોઇલ નોટ'(soiled currency) કોને કહેવાય છે? રિઝર્વ બેંકની ભાષામાં આવી નોટને ‘સોઇલ્ડ નોટ'(soiled currency) કહેવામાં આવે છે જે દેખાવમાં ગંદી હોઇ શકે છે અને ફાટેલી હોઈ શકે છે. રિઝર્વ બેંકના નિયમો કહે છે કે જે પણ નોટો 2 અંકોની હોય છે, જેમ કે 10 રૂપિયાની નોટ, જો તે બે ટુકડામાં હોય તો પણ તેને સોઈલ નોટની શ્રેણીમાં રાખવામાં આવે છે. બેંકો આવી નોટો સ્વીકારવાનો ઇનકાર કરી શકે નહીં. ફક્ત ધ્યાનમાં રાખો કે નોટની કટીંગ તેની નંબર પેનલમાંથી પસાર ન થવી જોઈએ. કોઈપણ સરકારી બેંકના કાઉન્ટર પર આવી નોટો સરળતાથી બદલી શકાય છે.

સરકારી બેંકો સિવાય, ખાનગી બેન્કની કોઈપણ કરન્સી ચેસ્ટ અથવા રિઝર્વ બેંકની કોઈપણ ઇશ્યૂ ઓફિસમાં નોટના બે ટુકડા સરળતાથી બદલી શકાય છે. બેંક તમને આવા ફેરફારો માટે કોઈપણ ફોર્મ ભરવા માટે પણ કહેશે નહીં. આમાં ફોર્મ ભરવાની જરૂર નથી.

નોટના ટુકડા પણ ચાલી શકે જો કોઈ નોટ અનેક ટુકડાઓમાં ફાટી જાય તો પણ તેને બેંકમાં લઈ જઈ શકાય છે. ફાટેલી નોટનો કોઈ ભાગ ખૂટે તો પણ તેને બદલી શકાય છે. કોઈપણ ચલણી નોટ પર જરૂરી ભાગ જારી કરનારા અધિકારીનું નામ, ગેરંટી, વચન કલમ, સહી, અશોક સ્તંભ પ્રતીક / મહાત્મા ગાંધીનું ચિત્ર, વોટરમાર્ક વગેરે હોય છે. આ માટે આરબીઆઈ નોટ રિફંડનો નિયમ બનાવવામાં આવ્યો છે. આવી નોટો સરકારી બેન્કોના કાઉન્ટર, ખાનગી બેન્કોની કરન્સી ચેસ્ટ અથવા RBI ની ઇશ્યૂ ઓફિસો પર પણ ફોર્મ ભરીને બદલી શકાય છે.

જે નોટો સંપૂર્ણપણે ફાટી ગઈ છે, સંપૂર્ણપણે કપાઈ ગઈ છે અથવા આખી નોટ સળગી ગઈ છે પછી તે માત્ર RBI ની ઈશ્યૂ ઓફિસમાં જ બદલી શકાય છે. તેને બેન્કોના કાઉન્ટર પર બદલી શકાતું નથી. RBI ના ઇશ્યૂ ડિપાર્ટમેન્ટમાં આ કામ માટે ખાસ લોકોને નિયુક્ત કરવામાં આવે છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો કિંમતમાં કોઈ ફેરફાર થયો કે નહિ?

આ પણ વાંચો : ચીનના સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની 22 લાખ કરોડ રૂપિયાના દેવા માટે નાદારી જાહેર કરતાં વૈશ્વિક ચિંતા સર્જાઈ! જાણો શું પડી શકે છે અસર

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">