AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: બજેટમાં સ્વરોજગાર આધારિત લોકોની નાણાંમંત્રીથી વિશેષ અપેક્ષાઓ, કોરોનાકાળમાં સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે

કોવિડ અને લોકડાઉનને કારણે ન માત્ર સ્વરોજગાર ઉપર આધારિત લોકોનો ધંધો ધીમો પડ્યો છે પરંતુ મોટાભાગના લોકો તેમની લોન ચૂકવવામાં પણ નિષ્ફળ રહ્યા છે.

Budget 2022: બજેટમાં સ્વરોજગાર આધારિત લોકોની નાણાંમંત્રીથી વિશેષ અપેક્ષાઓ, કોરોનાકાળમાં સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે
બજેટમાં સ્વરોજગાર આધારિત કારોબારીઓ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 12:09 PM
Share

સુજીત પોલ કેટરિંગ સર્વિસ(Catering Service) નું કામ કરે છે. વર્ષ 2005 માં તેમણે ઘણી આશાઓ સાથે ‘ફ્લેવર કેટરર્સ’ શરૂ કરી હતી. તે લગ્નની પાર્ટીઓમાં રસોઈ બનાવતો હતો અને તેની પાસે આખી ટીમ હતી તેથી ઘણા લોકો તેની સાથે કામ કરતા હતા. ત્રણ-ચાર વર્ષમાં વેપાર જામી ગયો અને જીવન સારું ચાલવા લાગ્યું હતું. વાસ્તવમાં સુજીતના લોઅર મિડલ ક્લાસ બંગાળી પરિવારમાં ત્રણ સભ્યો છે. વર્ષ 2020 માં જ્યારે કોરોનાનો પ્રકોપ શરૂ થયો ત્યારે વેપાર ઠપ્પ થઇ ગયો હતો.

સુજીત જેવા સ્વ-રોજગાર ધરાવતા લોકોની પરિસ્થિતિ સૌથી ખરાબ થઇ હતી જેઓ પોતાના કામથી આજીવિકા ચલાવે છે. કોવિડ-19 પહેલા તેને દર મહિને ઓછામાં ઓછી બે કામ મળતા હતા. તેની ટીમના ખર્ચને બાદ કરીને મહિને 40 થી 50 હજાર રૂપિયા મળતા હતા. સુજીતે પોતાની એક રેસ્ટોરન્ટ બનાવવાની યોજના બનાવી હતી પરંતુ હવે પાર્ટીઓ પર માર્યાદિત છે. સુજીતના ગ્રાહકો મધ્યમ વર્ગના છે જેઓ કોવિડથી પ્રભાવિત થયા છે. હવે બે મહિનામાં પણ એક મોટું કામ મળતું નથી.

બચત પુરી થઈ ગઈ છે અને મોટા કેટરર્સને કોન્ટ્રાક્ટ પર કામ મળી શક્યું નથી તેથી સુજીતે તેના વિસ્તારમાં એક નાનું હોમ ડિલિવરી નેટવર્ક શરૂ કર્યું છે પરંતુ રૂપિયા 10000 પ્રતિ માસ કમાવા પણ મુશ્કેલ છે.

સુજીત જેવા ઘણા લોકો જેમની પાસે નોકરી ન હતી પરંતુ તેઓએ આશા અને સપના સાથે વેપારમાં નશીબ અજમાવી સ્વરોજગારથયો રોજગાર બની ગયા હતા પરંતુ કોવિડે તે બધાને બરબાદ કરી દીધા હતા. સ્વ-રોજગાર એટલે કે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે. એક દિવસ મજૂર, બ્યુટી પાર્લર ચલાવતી કોઈપણ મહિલા, એલઆઈસીના એજન્ટ અથવા રસ્તા પર રેંકડી ચલાવતો વ્યક્તિ, આવા બધા લોકો સ્વ-રોજગારના દાયરામાં આવે છે.

સુજીતની જેમ કોવિડ અને લોકડાઉનને કારણે ન માત્ર તેમનો ધંધો ધીમો પડ્યો છે પરંતુ મોટાભાગના લોકો તેમની લોન ચૂકવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. મોટાભાગનાએ મૂડી ગુમાવી છે. સુજીતે રૂ. 5 લાખની બિઝનેસ લોન પણ લીધી હતી. ખાનગી ધિરાણકર્તા પાસેથી 5 લાખની લીધેલી લોનના હપ્તા ભરપાઈ કરવામાં નિષ્ફળ જતાં તેણે પોતાની કેટલીક બચત દ્વારા લોન બરપાઈ કરી દીધી છે.

સ્વ-રોજગાર આંકડા

2013-14ની આર્થિક વસ્તી ગણતરી મુજબ, ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોમાં મધ્યમ એકમોની સંખ્યા માત્ર 5,000 છે. 72 ટકા એકમો સ્વરોજગાર છે અથવા એવા વ્યવસાયો કે જેમાં એક પણ કર્મચારી નથી. જ્યારે 2016-17માં સ્વ-રોજગાર કુલ રોજગારના 13 ટકા હતો. આ ગુણોત્તર 2017-18માં 15 ટકા, 2018-19માં 17 ટકા, 2019-20માં 19 ટકા હતો. વર્ષ 2016-17માં કુલ સ્વ-રોજગાર 5.4 કરોડ અને 2019-20માં 7.8 કરોડ હતો.

પરંતુ આ સમયગાળા દરમિયાન પગારદાર કર્મચારીઓનો આંકડો 8.6 કરોડ પર સ્થિર રહ્યો. આ દર્શાવે છે કે આ સ્વરોજગારો મલિક સિવાય અન્ય કોઈ રોજગાર બનાવી શક્યા નથી. બીજી તરફ માત્ર ચાર ટકા એવા સ્વરોજગાર છે જે અન્ય લોકોને રોજગાર આપવા સક્ષમ છે.

આર્થિક સર્વેક્ષણ 2020-21 અનુસાર દેશમાં કુલ રોજગારી ધરાવતા લોકોમાંથી લગભગ 25 કરોડ સ્વરોજગાર છે અને તે હજુ પણ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. કુલ કાર્યબળના લગભગ 52% સ્વ-રોજગાર છે.

2021ના બજેટમાં શું મળ્યું?

ભારતનું બજેટ સ્વરોજગાર માટે સીધું કંઈ કરતું નથી. ગત બજેટમાં રેંકડી અને પથ્થરો કરી વેપાર કરતા લોકો માટે સસ્તી લોનની સ્કીમ રજૂ કરવામાં આવી હતી પરંતુ સુજીત જેવા મધ્યમ ઉદ્યોગપતિઓ તેને લાયક ન બની શક્યા. બીજી તરફ જેમની પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી તેઓને નાના પાયાના ઉદ્યોગો માટેની યોજનાઓ જેવી ક્રેડિટ ગેરંટીનો વધુ લાભ મળતો નથી. જેઓ છેલ્લા એક દાયકામાં મોટાભાગની સ્વ-રોજગાર સેવાઓમાં સક્રિય છે તેમના માટે કોઈ સીધી મદદની યોજનાઓ નથી.

આમાંના મોટા ભાગના વ્યવસાયો અસંગઠિત અને બિન નોંધાયેલ છે, જેમાં લોન અને ક્રેડિટ ગેરંટીથી મર્યાદિત મદદ મળે છે. સરકાર પાસે Prime Minister’s Employment Generation Programme એટલે કે PMEGP જેવી સ્કીમ છે જેના દ્વારા તે સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે લોનની સુવિધા પૂરી પાડે છે.

ધિરાણ બેંકોના હાથમાં છે NPAના દબાણને કારણે સ્વ-રોજગાર માટે બેંકો પાસેથી લોન મેળવવી હંમેશા મુશ્કેલ હોય છે. તેથી તેમને ખાનગી શાહુકારોના આશ્રયમાં જવું પડે છે.

નિષ્ણાતો શું માને છે?

બજેટમાં દરેક કેટેગરી માટે જોગવાઈ હોતી નથી. તેથી રાજ્યોએ સ્વ-રોજગારીઓને મદદ કરવા માટે યોજનાનું કામ સંભાળવું જોઈએ. કેન્દ્રની મદદથી રાજ્યોએ એસી ડાયરેક્ટ સહાય યોજનાઓ પર કામ કરવું પડશે જે સુજીત જેવા લોકોના જીવનને પાટા પર લાવી શકે કારણ કે તેઓ બજારનો સૌથી મહત્વપૂર્ણ મધ્યમ વર્ગ છે જે રોજગારનું સર્જન અને વિતરણ બંને કરે છે.

આ પણ વાંચો : Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ

આ પણ વાંચો : Budget 2022: શિવસેનાના સાંસદ પ્રિયકા ચતુર્વેદીએ વરિષ્ઠ નાગરિકોને FD પર વિશેષ વ્યાજ દર આપવા નિર્મલા સીતારમણને લખ્યો પત્ર

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">