વેક્સિન ઉત્પાદનને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, સીરમ અને ભારત બાયોટેકને આપ્યા આટલા કરોડ એડવાન્સ

રસીકરણ અભિયાનમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે ટે માટે કેન્દ્ર સરકારે રસી કંપનીઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને બે મહિના માટે 100% એડવાન્સ રકમ ચૂકવી છે.

વેક્સિન ઉત્પાદનને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, સીરમ અને ભારત બાયોટેકને આપ્યા આટલા કરોડ એડવાન્સ
PM Modi (File Image)
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 10:52 AM

ભારતમાં કોરોનાની બેકાબૂ ગતિનું સૌથી મોટું શસ્ત્ર છે વધુ લોકોને શક્ય તેટલી ઝડપથી રસી અપાવવી. આ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સોમવારે કેન્દ્રએ નિર્ણય લીધો હતો કે 1 મેથી દેશમાં 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ કોરોના રસી લઈ શકે છે. આવી સ્થિતિમાં, રસીની માંગ દેશમાં વધશે, જ્યારે ઘણા રાજ્યો પહેલેથી જ આરોપ લગાવી રહ્યા છે કે રસીનો અભાવ છે. વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે ટે માટે કેન્દ્ર સરકારે રસી કંપનીઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને બે મહિના માટેનું 100% એડવાન્સ ચુકવ્યું છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે બંને કંપનીઓને કુલ 4 હજાર 500 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

કોવિશિલ્ડ માટે સીરમ સંસ્થાને 3,000 કરોડ અને કોવેક્સિન માટે ભારત બાયોટેકને 1500 કરોડ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે કેન્દ્રએ ભારત બાયોટેકની બેંગ્લોર સુવિધા માટે 65 કરોડની ગ્રાન્ટને પણ મંજૂરી આપી હતી. નાણામંત્રાલયના સૂત્રોએ સોમવારે રાત્રે ખાનગી સમાચાર ચેનલને આ માહિતી આપી છે.

એવા ઘણા અહેવાલો આવ્યા છે કે હેમા દાવો કરવામાં આવ્યો છે કે સીરમ અને ભારત બાયોટેક કાચા માલની પ્રાપ્તિ, સ્ટાફની ચુકવણી, અને રસી બનાવવા અને વિતરણ કરવા સહિતની દરેક વસ્તુ માટે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજ્યો રસીની ઉણપ સાથે સંઘર્ષ કરી રહ્યા છે

રાજ્યોમાં રસીના સ્ટોકમાં ઘટાડો થતાં તાજેતરનાં સપ્તાહમાં સરકારની ચિંતા વધી ગઈ છે. આજે સવારે પંજાબે બીજી ચેતવણી જારી કરી હતી જેમાં કેન્દ્રને કહેવામાં આવ્યું હતું કે તેની પાસે ફક્ત ત્રણ દિવસનો જ સ્ટોક છે. અહીં શુક્રવારે આંધ્રપ્રદેશથી સમાચાર આવ્યા હતા કે રાજ્યમાં રસીનો સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં રસીના અભાવને કારણે મુંબઇ અને પુણે સહિત 100 થી વધુ રસીકરણ કેન્દ્રોને બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ કેન્દ્રએ અગાઉ ભારપૂર્વક જણાવ્યું છે કે રસી સ્ટોકની કોઈ કમી નથી.

આ મહિનાની શરૂઆતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાએ કહ્યું હતું કે પુણેમાં તેમના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા ખૂબ ઓછી છે, જેને જૂન સુધીના ઉત્પાદન માટે લગભગ ત્રણ મહિના અને આશરે 3,૦૦૦ કરોડની જરૂરી છે.

આ પણ વાંચો: કોરોનાના ડરથી અને માસ્કથી મુકત થયું ઇઝરાઇલ, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">