AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે ગત સપ્તાહે થોડો ઉછાળો નોંધાયો, ચાલુ સપ્તાહ માટે શું છે અનુમાન? જાણો અહેવાલ દ્વારા

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના રિટેલ રિસર્ચના વડા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે "જ્યારે રાહત તરીકે આવેલી સ્થિતિ હજુ થોડા સમય માટે ચાલુ રહી શકે છે ઓમિક્રોન વેરિઅન્ટ્સ અને નાજુક વૈશ્વિક સંકેતોને કારણે અસ્થિરતાને નકારી શકાય નહીં. ''

શેરબજારમાં ઉતાર - ચઢાવ વચ્ચે ગત સપ્તાહે થોડો ઉછાળો નોંધાયો, ચાલુ સપ્તાહ માટે શું છે અનુમાન? જાણો અહેવાલ દ્વારા
Dalal Street
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:51 AM
Share

BSE market cap: ગયા અઠવાડિયે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની આગેવાની હેઠળની દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચે તેમની કુલ માર્કેટ મૂડીમાં રૂ. 1,01,145.09 કરોડનો વધારો કર્યો હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને વિપ્રો નફાકારક હતા જ્યારે HDFC બેન્ક, ICICI બેન્ક, HDFC, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘટાડો થયો હતો. BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 112.57 પોઈન્ટ અથવા 0.10 ટકા વધ્યો હતો.

TCSના માર્કેટ કેપમાં 30721 કરોડનો વધારો આ સમયગાળા દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 30,720.62 કરોડ વધીને રૂ. 13,57,644.33 કરોડ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 21,035.95 કરોડ ઉમેર્યા અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 16,04,154.56 કરોડ થયું છે.

ઈન્ફોસિસના માર્કેટ કેપમાં 17657 કરોડનો ઉમેરો ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 17,656.95 કરોડ વધીને રૂ. 7,83,779.99 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 16,000.71 કરોડ વધીને રૂ. 5,40,053.55 કરોડ થયું છે. વિપ્રોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 15,730.86 કરોડ વધીને રૂ. 3,82,857.25 કરોડ થયું છે.

HDFC બેન્કનું માર્કેટ કેપ 18620 કરોડ ઘટ્યું બીજી તરફ HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 18,619.95 કરોડ ઘટીને રૂ. 7,97,609.94 કરોડ થયું હતું. HDFCની માર્કેટ મૂડી રૂ. 15,083.97 કરોડ ઘટીને રૂ. 4,58,838.89 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્કેટ મૂડી રૂ. 9,727.82 કરોડ ઘટીને રૂ. 4,07,720.88 કરોડ થઈ હતી.

ડેરિવેટિવ્ઝની સ્થિતિ વિશ્લેષકોનું કહેવું છે કે કોરોના વાયરસ ઓમિક્રોનના નવા વેરિઅન્ટના એક્સપોઝર અને મંથલી ડેરિવેટિવ્ઝના સોદાની પૂર્ણતા વચ્ચે શેરબજારોમાં આ અઠવાડિયે અસ્થિરતા જોવા મળી શકે છે. સેમકો સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચ હેડ યેશા શાહે જણાવ્યું હતું કે “ઓમિક્રોનની આસપાસની આશંકાઓ અને માસિક સોદા બંધ થવાને કારણે બજાર અસ્થિર રહેશે.”

બજાર અસ્થિર રહેશે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના રિટેલ રિસર્ચના વડા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે “જ્યારે રાહત તરીકે આવેલી સ્થિતિ હજુ થોડા સમય માટે ચાલુ રહી શકે છે ઓમિક્રોન વેરિઅન્ટ્સ અને નાજુક વૈશ્વિક સંકેતોને કારણે અસ્થિરતાને નકારી શકાય નહીં. ”

આ પણ વાંચો :  મેક ઈન ઈન્ડિયાની અસર, આગામી નાણાકીય વર્ષ સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો આંકડો 7 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા

આ પણ વાંચો :  High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને માત્ર 9 મહિનામાં બનાવ્યા 52 લાખ, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">