AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લતા મંગેશકરના નિધન પર પાકિસ્તાનની આંખો પણ થઇ ભીની, ‘સ્વર કોકિલા’ને કઇંક આ રીતે કર્યા યાદ

લતા મંગેશકરના નિધનની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'એક મહાન વ્યક્તિ હવે નથી રહી. લતા મંગેશકર સૂરોની રાણી હતી, જેમણે દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કર્યું.'

લતા મંગેશકરના નિધન પર પાકિસ્તાનની આંખો પણ થઇ ભીની, 'સ્વર કોકિલા'ને કઇંક આ રીતે કર્યા યાદ
Pakistan also expressed grief over the death of Lata Mangeshkar
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 4:24 PM
Share

ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું (Lata Mangeshkar) આજે મુંબઈની (Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. જ્યારથી લતા મંગેશકરના નિધનના સમાચાર આવ્યા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારત રત્ન લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને આજે પાકિસ્તાનની આંખો ભીની થઈ ગઈ છે. પાકિસ્તાનના લોકોએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પાકિસ્તાનમાં ઈમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ પણ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે લતા મંગેશકરના મૃત્યુ સાથે જોડાયેલા સમાચાર પાકિસ્તાનની સત્તાવાર ચેનલ પર બતાવવામાં આવ્યા છે.

લતા મંગેશકરના નિધનની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક મહાન વ્યક્તિ હવે નથી રહી. લતા મંગેશકર સૂરોની રાણી હતી, જેમણે દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કર્યું. તે સંગીતની અજોડ રાણી હતી, તેમનો અવાજ આવનારા સમયમાં લોકોના દિલ પર રાજ કરતો રહેશે.

પાકિસ્તાનમાં લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળ્યા બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પાકિસ્તાની પત્રકાર દુર્દાના નઝમે લખ્યું, લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા છે. તે ભારતમાં અને અન્ય જગ્યાએ જેટલા પ્રખ્યાત છે તેટલા જ તેમના ગીતો પાકિસ્તાનમાં પણ સાંભળવામાં આવે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. લતા મંગેશકરનો અવાજ ભારતમાં તેમજ પાકિસ્તાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમના ગીતો હંમેશા યાદ રહેશે.

ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે આજે સવારે 8.12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું મોત થયું છે. તેઓ છેલ્લા 26 દિવસથી ICUમાં દાખલ હતા. થોડા દિવસો પહેલા તબીબોએ માહિતી આપી હતી કે તેમની તબિયત હવે સારી છે અને તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ શનિવારે ફરી એકવાર તેમની તબિયત બગડતાં તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તેમને કોરોનાનો ચેપ પણ લાગ્યો હતો. જોકે બાદમાં તે ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયા હતા, પરંતુ પછી અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી.

આ પણ વાંચો –

Lata Mangeshkar Passed Away : સિંગર બનતા પહેલા લતા દીદીએ કેમેરાનો સામનો કર્યો હતો, એક્ટિંગ કરિયરમાં પણ મળી સફળતા

આ પણ વાંચો –

લતા મંગેશકરે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાની ના પાડી, કારણ જાણીને ચોંકી જશો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">