કોટક મહિન્દ્રા બેંકે બચત ખાતા અને એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો, ગ્રાહકો જાણી લો નવા દર

કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે સેવિંગ્સ એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ખાનગી બેંકે જાહેરાત કરી છે કે બચત ખાતા પર વ્યાજ દર વધારીને 4 ટકા કરવામાં આવી રહ્યો છે.

કોટક મહિન્દ્રા બેંકે બચત ખાતા અને એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો, ગ્રાહકો જાણી લો નવા દર
Kotak Mahindra Bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 8:31 PM

કોટક મહિન્દ્રા બેંકે(Kotak Mahindra Bank) ગુરુવારે સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account) અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD Rates) પર વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ખાનગી બેંકે જાહેરાત કરી છે કે બચત ખાતા પર વ્યાજ દર વધારીને 4 ટકા કરવામાં આવી રહ્યો છે. અગાઉ તે 3.5 ટકા વાર્ષિક હતો. બચત ખાતા પરનો નવો વ્યાજ દર 13 જૂન, 2022થી લાગુ થશે. તે જ સમયે, કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. FD પરના નવા વ્યાજ દર (Interest Rates) 10 જૂન, 2022થી લાગુ થશે.

બેંકે એક વર્ષથી વધુ સમયની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 365 દિવસથી 389 દિવસમાં પાકતી FD પર વ્યાજ દર 5.40 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે 390 દિવસની પાકતી મુદતની થાપણો પર વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.65 ટકા કરવામાં આવ્યો છે.

10 વર્ષની મુદતવાળી FD પર 5.90% વ્યાજ

આ સિવાય 391 દિવસથી 23 મહિનાથી ઓછા સમયગાળાની FD પર હવે 5.65 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે, 23 મહિનાથી ત્રણ વર્ષની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.75 ટકાનો વ્યાજ દર ઉપલબ્ધ છે. જ્યારે, ત્રણ વર્ષથી 10 વર્ષની મુદતવાળી FD પર વ્યાજ દર અગાઉના 5.75 ટકાથી વધારીને 5.90 ટકા કરવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઈએ કે રેપો રેટમાં વધારો કર્યા બાદ ઘણી બેંક એફડીના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંક ઉપરાંત આરબીએલ બેંક એટલે કે રત્નાકર બેંક લિમિટેડે ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. RBL બેંક અનુસાર, હવે 15 મહિનાની FD સ્કીમ પર 6.65 ટકા વ્યાજ આપવામાં આવશે. નવા દરો 8 જૂન, 2022થી લાગુ થશે. નવા દરો રૂ. 2 કરોડ અને રૂ. 3 કરોડથી ઓછી રકમની થાપણો માટે લાગુ કરવામાં આવ્યા છે.

ICICI બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 50 બેસિસ પોઈન્ટ્સ 8.10 ટકાથી વધારીને 8.60 ટકા કર્યો છે. ICICI બેંકે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારાને ધ્યાનમાં રાખીને EBLRમાં વધારો કરવામાં આવ્યો છે અને તે હવે 8.60 ટકા થઈ ગયો છે. નવા દર 8 જૂન, 2022થી અમલમાં આવ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">