AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday : જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ, રજાઓનું આખું લિસ્ટ જુઓ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ જુલાઈ 2026ના બેંક હોલિડે કેલેન્ડર મુજબ, આ મહિને બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જેમાં 4 રવિવાર, બીજા અને ચોથા શનિવાર અને 6 સ્થાનિક તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે.

Bank Holiday : જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ, રજાઓનું આખું લિસ્ટ જુઓ
| Updated on: Jun 28, 2026 | 8:18 PM
Share

જો તમારે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા બેંક હોલિડે કેલેન્ડર મુજબ, જુલાઈ 2026 દરમિયાન દેશભરમાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં 4 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તેમજ વિવિધ રાજ્યોમાં ઉજવાતા સ્થાનિક તહેવારો અને વિશેષ પ્રસંગોની 6 વધારાની રજાઓનો સમાવેશ થાય છે.

ધ્યાનમાં રાખવાની વાત એ છે કે સ્થાનિક તહેવારોને કારણે જાહેર કરવામાં આવેલી વધારાની 6 રજાઓ તમામ રાજ્યોમાં લાગુ પડશે નહીં. જે રાજ્ય અથવા શહેરમાં સંબંધિત તહેવાર કે પ્રસંગ હશે, ત્યાંની બેંક શાખાઓ જ બંધ રહેશે.

જુલાઈમાં બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે

RBIના નિયમો અનુસાર દેશભરની તમામ સરકારી અને ખાનગી બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. જુલાઈ 2026માં આ તારીખો નીચે મુજબ છે:

  • 11 જુલાઈ 2026 – બીજો શનિવાર
  • 25 જુલાઈ 2026 – ચોથો શનિવાર

આ બંને દિવસે દેશભરની તમામ બેંક શાખાઓમાં રજા રહેશે.

જુલાઈમાં રવિવારની રજાઓ

રવિવારના કારણે પણ બેંક શાખાઓ ચાર દિવસ બંધ રહેશે. આ તારીખો આ મુજબ છે:

  • 5 જુલાઈ 2026
  • 12 જુલાઈ 2026
  • 19 જુલાઈ 2026
  • 26 જુલાઈ 2026

આ તમામ રવિવારે દેશભરની બેંક શાખાઓમાં કામગીરી બંધ રહેશે.

સ્થાનિક તહેવારોને કારણે વધારાની રજાઓ

જુલાઈ મહિનામાં વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાદેશિક પ્રસંગોને કારણે પણ બેંકોમાં રજા રહેશે. આ રજાઓ દરેક રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે. તેથી જો તમે અન્ય રાજ્યમાં બેંકિંગ સેવા લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તે રાજ્યની બેંક હોલિડે લિસ્ટ અગાઉથી તપાસી લેવી જરૂરી છે.

ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે

બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને મોટાભાગની સેવાઓ માટે કોઈ મુશ્કેલી નહીં પડે. ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI, ATM, તેમજ NEFT અને RTGS જેવી ડિજિટલ સેવાઓ (નિર્ધારિત સમય મુજબ) નિયમિત રીતે ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો સરળતાથી પૈસા ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, બેલેન્સ ચેક અને રોકડ ઉપાડ જેવી સેવાઓનો લાભ લઈ શકશે.

મહત્વપૂર્ણ બેંકિંગ કામ અગાઉથી પૂર્ણ કરો

જો તમારે ચેક જમા કરાવવો હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો હોય, KYC અપડેટ કરાવવું હોય, લોકરની સેવા લેવી હોય અથવા શાખામાં જઈને અન્ય કોઈ મહત્વપૂર્ણ બેંકિંગ કામ કરવાનું હોય, તો રજાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી આયોજન કરવું વધુ યોગ્ય રહેશે. આમ કરવાથી બેંક બંધ હોવાને કારણે થતી અસુવિધાથી બચી શકાશે.

29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન

Follow Us
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
g clip-path="url(#clip0_868_265)">