AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આસમાને પહોંચેલા ઇંધણના ભાવ જમીન ઉપર ઉતારવા Joe Biden આ પગલું ભરશે, જાણો વિગતવાર

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ અનુસાર ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 13.1 રૂપિયાથી 24.9 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ પર 10.6 રૂપિયાથી 22.3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવો પડશે.

આસમાને પહોંચેલા  ઇંધણના ભાવ જમીન ઉપર ઉતારવા Joe Biden આ પગલું ભરશે, જાણો વિગતવાર
US President Joe Biden
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 7:57 AM
Share

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war)ના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ(Crude Oil)ની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન(Joe Biden) દેશના પેટ્રોલિયમ ભંડારમાંથી મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ છોડવાની વાત કહી છે. આનાથી ક્રૂડ ઓઈલના વધતા ભાવને કાબુમાં લેવાનો પ્રયાસ થશે. બ્લૂમબર્ગના સમાચાર અનુસાર જો બાઇડેનની સરકારે અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી દરરોજ 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ છોડવાનું મન બનાવી લીધું છે. વ્હાઇટ હાઉસ ગુરુવારે આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયા પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. આની અસર એ થઈ કે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની કિંમતો વધવા લાગી, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો નક્કી કરવામાં રશિયાની મોટી ભૂમિકા છે.

ઘણા મહિનાઓ સુધી તેલ મળશે

ગેસોલિનની વધતી કિંમતો પર લગામ લગાવવા માટે જો બાઇડેન સરકાર ગુરુવારે તેની સંપૂર્ણ યોજના જાહેર કરી શકે છે. વ્યૂહાત્મક ભંડારમાંથી દરરોજ 1 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છોડવાની આ યોજના કેટલો સમય ચાલશે તે અંગે પરિસ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ આ અંગે જાણકાર સૂત્રોનું કહેવું છે કે તે કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે.

કોરોના મહામારી અને ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ અમેરિકામાં મોંઘવારી દરને 40 વર્ષની ટોચે ધકેલી દીધો છે. રાષ્ટ્રપતિ જો બિડેનની સરકાર સામે આનો સામનો કરવો એક મોટો પડકાર છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 105 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી જ્યારે એક વર્ષ પહેલા તે લગભગ 60 ડોલર પ્રતિ બેરલ હતો.

ભારતમાં ઇંધણની કિંમત 15-20 રૂપિયા વધી શકે છે

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ અનુસાર ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 13.1 રૂપિયાથી 24.9 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ પર 10.6 રૂપિયાથી 22.3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવો પડશે. ક્રિસિલ રિસર્ચનું કહેવું છે કે જો ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત વધીને 110 ડોલર થાય છે તો રિટેલ કિંમતમાં 9-12 રૂપિયા પ્રતિ લીટર અને ઓઈલના ભાવમાં સરેરાશ $100-120 પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલનો વધારો કરવાની જરૂર પડશે. 15-20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો.ભારત તેની તેલની જરૂરિયાતના 85 ટકા માટે આયાત પર નિર્ભર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે તેલના નવા ભાવ જાહેર કરે છે. ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે છેલ્લા 15 દિવસમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે.

આ પણ વાંચો : Bank Holidays in April 2022 : એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આમ આદમી માટે રાહતના સમાચાર, નાણાકીય વર્ષના પહેલા દિવસે મોંઘુ ન કરાયું તમારા વાહનનું ઇંધણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">