AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Refund : આવકવેરા વિભાગ દ્વારા 1.62 લાખ કરોડનું રિફંડ અપાયું, આ રીતે તપાસો તમારા ખાતાની સ્થિતિ

જો કોઈ વિક્ષેપ ન હોવા છતાં પણ રિફંડ ન આવે તો આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે.

Income Tax Refund : આવકવેરા વિભાગ દ્વારા 1.62 લાખ કરોડનું રિફંડ અપાયું, આ રીતે તપાસો તમારા ખાતાની સ્થિતિ
income tax department ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 6:45 AM
Share

આવકવેરા(Income Tax) વિભાગે ગુરુવારે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1.79 કરોડ કરદાતાઓને રૂ. 1.62 લાખ કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે. આમાં આકારણી વર્ષ 2020-21 માટે 1.41 કરોડ રિફંડનો સમાવેશ થાય છે જે રૂ. 27,111.40 કરોડ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2021 અને જાન્યુઆરી 24, 2022 વચ્ચે 1.79 કરોડથી વધુ કરદાતાઓને રૂ. 1,62,448 કરોડથી વધુનું રિફંડ જારી કર્યું છે તેમ આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું છે.

ઘરે બેઠા આવકવેરા વિભાગને ફરિયાદ કરી શકો છો

જો કોઈ વિક્ષેપ ન હોવા છતાં પણ રિફંડ ન આવે તો આવકવેરા વિભાગમાં ફરિયાદ કરી શકાય છે. આવકવેરા વિભાગે આ માટે ટોલ ફ્રી નંબર 18001801961/1961 જારી કર્યા છે. કરદાતાઓ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો

  • સૌથી પહેલા તમારે વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે.
  • યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરો.
  • લોગીન કર્યા પછી, તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ દેખાશે.
  • હવે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો
  • તે પછી View File Return પર ક્લિક કરો.
  • હવે તમારા ITRની વિગતો બતાવવામાં આવશે.

PAN અને Adhaar ને લિંક કરો

રિટર્ન ફાઇલ કરતા પહેલા આ સૌથી મહત્વની બાબત છે. તમારે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) તમારા આધાર સાથે લિંક કરવો પડશે. તે જ સમયે, PAN-Adhaar લિંક કરવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. હવે તેને 31 માર્ચ 2022 સુધી લિંક કરી શકાશે.

આ પણ વાંચો :  Air India ની 69 વર્ષ બાદ Tata Group માં ઘર વાપસી, 18000 કરોડની ડીલ અંતર્ગત Tata દેશની બીજી સૌથી મોટી Airline Company બનશે

આ પણ વાંચો : Budget 2022: RBIના ભૂતપૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કહ્યું- બજેટમાં અસમાનતાને દૂર કરવા અને રોજગાર પેદા કરવા પર ભાર મૂકવો જોઈએ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">