AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર

આ ફેરફાર પ્રત્યક્ષ કર વિવાદ સે વિશ્વાસ અધિનિયમની કલમ 3 હેઠળ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં ખામીઓને કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

ITR  : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર
ITR Deadline Extended
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:47 AM
Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ ફેરફાર પ્રત્યક્ષ કર વિવાદ સે વિશ્વાસ અધિનિયમની કલમ 3 હેઠળ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં ખામીઓને કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

CBDT દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, “વિવાદ સે વિશ્વાસ અધિનિયમ હેઠળ આવશ્યકતા મુજબ ફોર્મ 3 જારી કરવામાં અને તેમાં સુધારો કરવામાં આવી રહેલી સમસ્યાઓને કારણે કોઈપણ વધારાની રકમની ચુકવણી વિના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી છે. નવી સમય મર્યાદા 30 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ”

જો કે, તે સ્પષ્ટ કરાયું છે કે વિવાદ સે વિશ્વાસ અધિનિયમ હેઠળ વધારાની રકમ સાથે ચુકવણીની છેલ્લી તારીખ બદલાઈ નથી અને તે 31 ઓક્ટોબર જેવી જ રહેશે. આ અગાઉ 25 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં, ચુકવણીની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ કરવામાં આવી હતી.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસને આવકવેરા વિભાગના નવા પોર્ટલમાં ખામીઓ સુધારવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. નવું પોર્ટલ લોન્ચ થયા બાદથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં અને ડેટા અપડેટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નાણાં મંત્રાલયના અધિકારીઓએ આ અંગે ઇન્ફોસિસના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

નવા IT પોર્ટની સમ્યાઓના કારણે નાણાં મંત્રાલયે CEOને સમન્સ મોકલ્યું હતું પોર્ટલની ચાલી રહેલી સમસ્યાઓ વચ્ચે નાણા મંત્રાલયે પોર્ટલ તૈયાર કરનાર અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સલિલ પારેખને હાજર થવા કહ્યું હતું. પારેખને નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.નાણામંત્રીએ જવાબ માંગ્યો હતો કે બે મહિના પછી પણ પોર્ટલ પર સમસ્યાઓ શા માટે છે અને તે કેમ ઉકેલાતી નથી?

સરકારે પોર્ટલ માટે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા ઈ-પોર્ટલમાં વિક્ષેપનો મુદ્દો તાજેતરમાં સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. નાણામંત્રી પંકજ ચૌધરીએ આનો જવાબ આપ્યો. તેમણે દેશને કહ્યું કે સરકારે આવકવેરા વિભાગ માટે નવી વેબસાઇટ બનાવવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

આ પણ વાંચો :  નોકરિયાતો માટે અગત્યના સમાચાર, જો તમારી પાસે FORM 16 ન હોય તો પણ તમે INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?

આ પણ વાંચો : કરદાતાઓને મોટી રાહત, વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત ચુકવણીની સમયમર્યાદા એક મહિનો વધારી, જાણો નવી તારીખ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">