AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા PAN CARD ની વિગતોમાં ભૂલ છે? ચિંતા ન કરશો ઘરે બેઠા આ ભૂલ સુધારી શકાય છે, જાણો રીત

જો તમારા પાન કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો, તો તમારે આવકવેરા કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને પાનની ભૂલો સુધારી શકો છો.

શું તમારા PAN CARD ની વિગતોમાં ભૂલ છે? ચિંતા ન કરશો ઘરે બેઠા આ ભૂલ સુધારી શકાય છે, જાણો રીત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:28 AM
Share

PAN Card Correction Online: પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN CARD એ જરૂરી દસ્તાવેજ છે. પાન કાર્ડ ભારતીય કર વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. PAN કાર્ડમાં યુનિક 10 અંકના આલ્ફાન્યૂમેરિક નંબરો હોય છે. પાન કાર્ડનો ઉપયોગ ટેક્સ સંબંધિત કામ માટે જ નહીં પરંતુ ઓળખ કાર્ડ તરીકે પણ થાય છે. કેટલીકવાર એવી કેટલીક ભૂલો હોય છે જેને સુધારવામાં ન આવે તો પરેશાની થઈ શકે છે.આજકાલ પાન કાર્ડ અને આધાર કાર્ડ(Aadhaar Card)ને લિંક કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો પાન કાર્ડમાં કોઈ ભૂલ છે તો તેને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે નહીં. કારણ કે PAN અને Aadhaar માં નામ અને જન્મ તારીખ એક જ હોવી જોઈએ. આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.

જો તમારા પાન કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો, તો તમારે આવકવેરા કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને પાનની ભૂલો સુધારી શકો છો. PAN કાર્ડમાં ઘણીવાર જન્મતારીખ કે નામમાં ભૂલો હોય છે. તમે આ ભૂલો જાતે સુધારી શકો છો.

તમારું PAN કાર્ડ કેવી રીતે ઠીક કરવું ?

PAN કાર્ડ પર છપાયેલી જન્મ તારીખ અથવા નામમાં ભૂલ સુધારવા માટે તમારે પહેલા આવકવેરા વિભાગના ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જવું પડશે. અહીં અરજીના પ્રકાર પર જાઓ અને Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card પર ક્લિક કરો.

અહીં તમારી પાસેથી જે પણ માહિતી માંગવામાં આવી છે તે ભરો અને સાચો કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ કરો. તે પછી તમારે આધાર, પાસપોર્ટ અથવા અન્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. પછી તમને પેમેન્ટ કરવા માટે કહેવામાં આવશે.

પેમેન્ટ કર્યા પછી તમને બેંક રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર મળશે. આ માહિતી સાચવો અને પછી ચાલુ Continue પર ક્લિક કરો. પછી તમારે એક ફોર્મ ભરવું પડશે જેમાં તમારે પાન કાર્ડની ભૂલ વિશે જણાવવાનું છે જેને તમે સુધારવા માંગો છો. ફક્ત તે વિગતો ભરો અને બધી જરૂરી માહિતી સબમિટ કરો. થોડા દિવસોમાં તમને તમારું પાન કાર્ડ સુધારણા સાથે મળી જશે.

પાન કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી માટે તમે NSDL હેલ્પલાઈન નંબર 1800-180-1961 અને 020-27218080 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે આવકવેરા વિભાગના ઈ-મેલ આઈડી efilingwebmanager@incometax.gov.in અને tininfo@nsdl.co.in પર પણ લખી શકો છો.

આ પણ વાંચો : Opening Bell : સતત બીજા દિવસે નબળા વૈશ્વિક સંકેત છતાં શેરબજારની લીલા નિશાનમાં શરૂઆત, Sensex 56663 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : 7th Pay Commission : 16 માર્ચે સરકાર DA નો નિર્ણય લેશે, જાણો સરકારી કર્મચારીઓને કેટલો થશે લાભ?

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
g clip-path="url(#clip0_868_265)">