AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું 2000 રૂપિયાના સ્થાને ફરી આવી રહી છે રૂ. 1000ની નોટ ? જાણો RBI ગવર્નરે શું આપ્યો જવાબ

નવેમ્બર 2016માં, RBIએ રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટની નોટબંધી કર્યા બાદ રૂ. 2000ની નોટ, ચલણ માટે બહાર પાડી હતી. હવે રૂપિયા 2000ની ચલણી નોટ આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવા અથવા એક્સચેન્જ કરાવવાની રહેશે. જેની પ્રક્રિયા આવતીકાલ મંગળવારથી શરૂ થઈ રહી છે.

શું 2000 રૂપિયાના સ્થાને ફરી આવી રહી છે રૂ. 1000ની નોટ ? જાણો RBI ગવર્નરે શું આપ્યો જવાબ
Shaktikanta Das, Governor, RBI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 1:59 PM
Share

RBIએ 2000 રૂપિયાની નોટો, ચલણમાંથી સંપૂર્ણપણે બહાર કાઢવાની તૈયારી કરી લીધી છે. તમામ બેંકોને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જ્યારે, આરબીઆઈ ગવર્નરે મીડિયાને આ સંદર્ભે બ્રીફિંગ પણ આપી છે. હવે બીજો પ્રશ્ન સામે આવી રહ્યો છે. એટલે કે 1000 રૂપિયાની નોટ પાછી આવશે કે કેમ? આરબીઆઈ ગવર્નરે આ અંગે ખુલ્લેઆમ જણાવ્યું છે.

આરબીઆઈ ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે આરબીઆઈ રૂ. 1000ની નોટ પાછી લાવવાનું વિચારી રહી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રૂ. 1,000ની નોટ ફરીથી રજૂ કરવાની સંભાવના છે, તો આરબીઆઈ ગવર્નર દાસે જવાબ આપ્યો કે આ બધી અટકળો છે. હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી.

આરબીઆઈએ, 2000ની ચલણી નોટ બંધ કરવા અને 2000ની ચલણી નોટ બદલવા બહાર પાડેલ માર્ગદર્શિકા બાદ, આ મામલો હવે દિલ્લી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દિલ્લી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને ઓળખના પુરાવા વિના રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે.

અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવુ જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટો માત્ર સંબંધિત બેંક ખાતામાં જ જમા કરવામાં આવે. આના કારણે કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં. તેનાથી કાળું નાણું અને અપ્રમાણસર સંપત્તિ ધરાવતા લોકોની ઓળખ સરળતાથી કરી શકાશે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. અરજદારે કહ્યું કે આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને અપ્રમાણસર સંપત્તિ ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને આરબીઆઈને યોગ્ય સૂચના આપવા અરજીમાં વિનંતી કરવામાં આવી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">