
જો તમે ભગવાન શિવના પવિત્ર જ્યોતિર્લિંગોના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક ખાસ ભેટ લઈને આવ્યું છે. ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા આયોજિત આ યાત્રા મે 2026 માં શરૂ થશે, જે શ્રદ્ધાળુઓને દેશના વિભિન્ન ખૂણે આવેલા સાત જ્યોતિર્લિંગોના દર્શન કરાવશે.
આ ટૂર પેકેજ કુલ 11 રાત અને 12 દિવસનું રહેશે. યાત્રાની શરૂઆત 28 મે 2026 ના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી થશે. આ ટ્રેનમાં એસી અને સ્લીપર ક્લાસની સુવિધા ઉપલબ્ધ છે અને કુલ 750 મુસાફરો આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકશે.
આ પેકેજ અંતર્ગત શ્રદ્ધાળુઓને નીચે મુજબના સ્થળોએ દર્શન કરાવવામાં આવશે:
યાત્રા માટે અલગ-અલગ ક્લાસ મુજબ ભાડું નક્કી કરવામાં આવ્યું છે:
આ કિંમતમાં ટ્રેન ટિકિટ ઉપરાંત શાકાહારી ભોજન, બજેટ હોટલોમાં રહેવાની વ્યવસ્થા, જોવાલાયક સ્થળો માટે એસી કે નોન-એસી વાહનોની સુવિધા, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજરની સેવાઓનો સમાવેશ થાય છે. એટલે કે, એકવાર ટિકિટ બુક કરાવ્યા પછી ખાવા-પીવા કે રહેવા માટે કોઈ અલગ ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં.
આ પેકેજ માટે બુકિંગ ‘વહેલા તે પહેલા’ ના ધોરણે કરવામાં આવશે. રસ ધરાવતા શ્રદ્ધાળુઓ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે.
મોંઘવારીના જમાનામાં રહેવા અને જમવાની ફ્રી સુવિધા સાથે સાત જ્યોતિર્લિંગોની યાત્રા કરવી એ શિવભક્તો માટે મોટી રાહત સમાન છે. ભારતની સાંસ્કૃતિક વિરાસત અને તીર્થધામોને પ્રોત્સાહન આપવા માટે આ ભારત ગૌરવ ટ્રેન એક મહત્વનું કદમ છે.
Published On - 6:31 pm, Mon, 4 May 26