AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips : 30 વર્ષની વયથી રોકાણની શરૂઆત કરી નિવૃત્તિ સમયે મેળવો ₹10,00,00,000 નું ફંડ, સમજો ફોર્મ્યુલા

શું તમે નિવૃત્તિ(retirement) પછીના ખર્ચ વિશે આયોજન કે વિચાર્યું કર્યો છે? જો ના હોય તો મોડું કરવું બિલકુલ યોગ્ય નથી.  તમે આજથીજ શરૂ કરીને નિવૃત્તિ સુધી સરળતાથી એક કરોડ કે તેથી વધુનું ફંડ બનાવી શકાય છે.

Investment Tips : 30 વર્ષની વયથી રોકાણની શરૂઆત કરી નિવૃત્તિ સમયે મેળવો ₹10,00,00,000 નું ફંડ, સમજો ફોર્મ્યુલા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:58 AM
Share

શું તમે નિવૃત્તિ(retirement) પછીના ખર્ચ વિશે આયોજન કે વિચાર્યું કર્યો છે? જો ના હોય તો મોડું કરવું બિલકુલ યોગ્ય નથી.  તમે આજથીજ શરૂ કરીને નિવૃત્તિ સુધી સરળતાથી એક કરોડ કે તેથી વધુનું ફંડ બનાવી શકાય છે. જો તમારી ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે હોય તો તમે તમારી નિવૃત્તિ પછીની જરૂરિયાતો માટે સરળતાથી રૂપિયા 10 કરોડ સુધીનું ભંડોળ બનાવી શકો છો.

એક અનુમાન લગાવીએ તો 10 કરોડનું નિવૃત્તિ ભંડોળ વ્યક્તિ માટે પૂરતું કહી શકાય. જો તમારી જીવનશૈલી બહુ ઊંચી નથી તો આ ફંડ તમારી લગભગ તમામ જરૂરિયાતો પૂરી કરશે.

તમે જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલું વધુ રિટર્ન મળશે

જો તમે 30 વર્ષના છો તો 30 વર્ષ તમારા માટે રોકાણ કરવાનો સમય છે. જો તમારી ઉંમર 40 વર્ષ છે તો તમારી પાસે રોકાણ કરવા માટે 20 વર્ષ બાકી છે. આ પછી તમારે જોવું પડશે કે તમને કયા પ્રકારના રોકાણ પોર્ટફોલિયોમાં રસ છે. જો તમારા પોર્ટફોલિયોમાં સ્ટોકનું પ્રમાણ ઊંચું હોય, તો વળતર ઊંચું રહેવાની અપેક્ષા છે. ડેટ એક્સ્પોઝર જેટલું ઊંચું છે, તેટલું ઓછું વળતર. જો આપણે ત્રણ પ્રકારના પોર્ટફોલિયો વિશે વાત કરીએ – રૂઢિચુસ્ત, સંતુલિત અને આક્રમક, તો આના દ્વારા 10 કરોડનું ફંડ બનાવવું શક્ય છે. આ માટે તમારે દર મહિને 30,000 રૂપિયાથી 1.7 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

30 વર્ષ આધારે ગણિત સમજો

જો તમે 30 વર્ષના છો અને તમે રૂઢિચુસ્ત રોકાણકાર છો, તો તમે તમારા રોકાણ પર વાર્ષિક 8% વળતરની અપેક્ષા રાખી શકો છો. આ કિસ્સામાં, તમારે 30 વર્ષ સુધી દર મહિને 68,000-69,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમને સંતુલિત પોર્ટફોલિયો જોઈએ છે, તો તમે વાર્ષિક 10% વળતરની અપેક્ષા રાખી શકો છો. સંતુલિત પોર્ટફોલિયોનો અર્થ એ છે કે તમારે ઇક્વિટી અને ડેટ બંનેમાં સમાન રીતે રોકાણ કરવું પડશે. આ કિસ્સામાં, 10% નું વાર્ષિક વળતર ધારીને, તમારે 30 વર્ષ માટે દર મહિને 46,000-47,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમને આક્રમક પોર્ટફોલિયો જોઈએ છે, તો વાર્ષિક 12% વળતરની અપેક્ષા રાખી શકાય છે. આ કિસ્સામાં, તમારે આગામી 30 વર્ષ સુધી દર મહિને 30,000-31,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

40 વર્ષની ઉંમર પછી રોકાણ કેટલું કરવું પડશે?

40 વર્ષની ઉંમરે, વ્યક્તિને રોકાણ કરવા માટે 20 વર્ષનો સમય મળશે. આવા કિસ્સામાં, જો પોર્ટફોલિયો રૂઢિચુસ્ત છે, તો વાર્ષિક 8% વળતરની અપેક્ષા રાખી શકાય છે. આવી સ્થિતિમાં, 10 કરોડના રિટાયરમેન્ટ ફંડ માટે તમારે દર મહિને 1.6 થી 1.7 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો પોર્ટફોલિયો સંતુલિત હોય, તો વાર્ષિક 10% વળતરની અપેક્ષા રાખી શકાય છે. આ કિસ્સામાં, તમારે આગામી 20 વર્ષ સુધી દર મહિને 1.3 લાખથી 1.4 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે થોડું જોખમ લઈ શકો તો તમે આક્રમક પોર્ટફોલિયો બનાવી શકો છો. આ કિસ્સામાં, વાર્ષિક 12% વળતરની અપેક્ષા રાખી શકાય છે. આ કિસ્સામાં, તમારે આગામી 20 વર્ષ સુધી દર મહિને લગભગ 1 થી 1.1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

રોકાણ શરૂ કરવામાં વિલંબ ન કરો

તમે ઉપરના ઉદાહરણમાં જોયું છે કે નાની ઉંમર, રોકાણ માટે જરૂરી રકમ ઓછી છે. આ એટલા માટે છે કારણ કે તમને તમારું રોકાણ વધવા માટે વધુ સમય મળે છે. જો તમે ઈચ્છો તો દર વર્ષે તમારા રોકાણની રકમ વધારી શકો છો. આ સાથે, તમે તમારા ફંડના લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકો છો. આવી સ્થિતિમાં, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારે શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. એવું જરૂરી નથી કે તમે માત્ર 1 કરોડ કે તેથી વધુ રકમ માટે જ રોકાણ કરો. તમે આ મોડલ પર થોડી રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો અને તમારા માટે એક સારું ફંડ બનાવી શકો છો.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">