Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment : આ સરકારી સ્કીમમાં 10 વર્ષમાં પૈસા થશે ડબલ, જાણો સ્કીમ અંગેની વિગતવાર માહિતી

ખાતામાં મોબાઈલ નંબર અને PAN અપડેટ કર્યા પછી, નિર્ધારિત રકમનું ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિએ પોસ્ટ ઓફિસ ખાતામાં પોતાનો PAN આપ્યો નથી, તો હવે તે આપવો જરૂરી રહેશે.

Investment : આ સરકારી સ્કીમમાં 10 વર્ષમાં પૈસા થશે ડબલ, જાણો સ્કીમ અંગેની વિગતવાર માહિતી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 8:40 AM

જો તમે નજીકના સમયમાં રોકાણ(Investment) કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને પોસ્ટ ઓફિસ(Post Office)ની બચત યોજનાઓ(Saving Schemes)માં રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર મળે છે. સાથે જ તેમાં રોકાણ કરાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય છે તો તમને ફક્ત 5 લાખ રૂપિયા પાછા મળશે પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું જોખમ નથી. આ સિવાય પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra – KVP) પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં પણ સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

કોણ કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકે છે ?

આ સ્કીમમાં ત્રણ લોકો એકસાથે રોકાણ કરી શકે છે. એકાઉન્ટ સિંગલ (KVP Account) અને જોઈન્ટ ખોલી શકાય છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ અને સગીર પણ તેમના માતાપિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર આ યોજના હેઠળ ખાતામાં રોકાણ કરી શકે છે.

કેટલું વ્યાજ મળશે?

કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમને 6.9 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ પર આધારિત છે. આ વ્યાજ દર 1લી એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવ્યો છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને 10 વર્ષ 4 મહિનામાં એટલે કે 124 મહિનામાં બમણી ડિપોઝિટ મળશે.

ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો

કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણની મર્યાદા શું છે?

આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ.1000 અને વધુમાં વધુ તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે રોકાણની રકમ 100 ના ગુણાંકમાં હોવી જોઈએ.

પોસ્ટ ખાતા સાથે PAN લિંક કરવો જરૂરી

ખાતામાં મોબાઈલ નંબર અને PAN અપડેટ કર્યા પછી, નિર્ધારિત રકમનું ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિએ પોસ્ટ ઓફિસ ખાતામાં પોતાનો PAN આપ્યો નથી, તો હવે તે આપવો જરૂરી રહેશે. આ નોટિફિકેશન જાહેર થયા પહેલા, જો કોઈએ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું હોય અને તેણે PAN ન આપ્યું હોય, તો હવે PAN અપડેટ કરવું જરૂરી બનશે. ખાતું ખોલ્યાના 6 મહિના પછી PAN વિગતો સબમિટ કરવી ફરજિયાત છે. જો તમે હજી સુધી PAN જમા કરાવ્યું નથી, તો આ કામ જલ્દી પૂર્ણ કરો કારણ કે પછીથી 20,000 રૂપિયાથી વધુની લેવડદેવડ થશે નહિ.

આ પણ વાંચો : રોકાણકારો માટે આજીવન રિટર્ન મેળવવાની તક! HDFC બેંક રૂપિયા 50000 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે

આ પણ વાંચો :  Bank Opening Time : આજથી દેશભરમાં 1 કલાક વહેલી ખુલશે બેંક, સવારે 9 વાગ્યાથી શરૂ થશે કામ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
g clip-path="url(#clip0_868_265)">