AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણકારને 6.8 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા રૂ 1000 અને તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરતી વખતે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે તમારે માત્ર 100ના ગુણાંકમાં જ રોકાણ કરવું પડશે.

Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:22 AM
Share

નવું નાણાકીય વર્ષ 2022-2023 શરૂ થઇ ગયું છે. આ શરૂઆત સાથે રોકાણનું વધુ સારું આયોજન (Investment Planning)કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ટેક્સ બચત(Tax Saving) ની સાથે વધુમાં વધુ વળતર મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમમાં રોકાણ કરવાની નિષ્ણાંતો સલાહ આપે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમનો આ એક સારો વિકલ્પ છે. જો તમે પણ જોખમ મુક્ત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો આ યોજના તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જાણો આ સ્કીમની ખાસ વાતો…

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર કેટલું વ્યાજ મળે છે?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણકારને 6.8 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા રૂ 1000 અને તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરતી વખતે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે તમારે માત્ર 100ના ગુણાંકમાં જ રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા રોકાણ કરેલા નાણાં 10 વર્ષ અને 6 મહિનામાં 6.8 ટકાના વાર્ષિક વ્યાજ પર બમણા થઈ જશે. આ સ્કીમમાં જો તમે 5 વર્ષમાં કુલ 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 1389.0 રૂપિયા મળશે.

યોજનામાં રોકાણ કરવાની પાત્રતા શું છે ?

આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની હોવી જોઈએ. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ દ્વારા તમે સંયુક્ત અથવા સિંગલ બંનેમાં કોઈપણ એક રીતે રોકાણ કરી શકો છો. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું ખોલવા પર માતાપિતા દ્વારા તેની સંભાળ રાખવામાં આવશે. 10 થી 18 વચ્ચે એકાઉન્ટ સગીર ના રૂપમાં હશે. 18 પછી એકાઉન્ટ પુખ્ત ખાતામાં રૂપાંતરિત થશે. આ સ્કીમ હેઠળ ત્રણ લોકોના નામે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

કર મુક્તિનો લાભ

તમને જણાવી દઈએ કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરવા પર રોકાણકારોને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનું વળતર મળશે. આ સ્કીમમાં એકવાર રોકાણ કર્યા પછી, તમે 5 વર્ષ પહેલા આ પૈસા ઉપાડી શકતા નથી.

આ પણ વાંચો : MONEY9: શું શેરમાર્કેટમાં મંદીવાળા કબજો જમાવી શકશે? બજારમાં અત્યારે રોકાણકારોએ શું કરવું?

આ પણ વાંચો : ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">