AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણકારને 6.8 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા રૂ 1000 અને તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરતી વખતે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે તમારે માત્ર 100ના ગુણાંકમાં જ રોકાણ કરવું પડશે.

Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:22 AM
Share

નવું નાણાકીય વર્ષ 2022-2023 શરૂ થઇ ગયું છે. આ શરૂઆત સાથે રોકાણનું વધુ સારું આયોજન (Investment Planning)કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ટેક્સ બચત(Tax Saving) ની સાથે વધુમાં વધુ વળતર મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમમાં રોકાણ કરવાની નિષ્ણાંતો સલાહ આપે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમનો આ એક સારો વિકલ્પ છે. જો તમે પણ જોખમ મુક્ત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો આ યોજના તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જાણો આ સ્કીમની ખાસ વાતો…

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર કેટલું વ્યાજ મળે છે?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણકારને 6.8 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા રૂ 1000 અને તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. તમે આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરતી વખતે માત્ર એ વાતનું ધ્યાન રાખો કે તમારે માત્ર 100ના ગુણાંકમાં જ રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા રોકાણ કરેલા નાણાં 10 વર્ષ અને 6 મહિનામાં 6.8 ટકાના વાર્ષિક વ્યાજ પર બમણા થઈ જશે. આ સ્કીમમાં જો તમે 5 વર્ષમાં કુલ 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર 1389.0 રૂપિયા મળશે.

યોજનામાં રોકાણ કરવાની પાત્રતા શું છે ?

આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષની હોવી જોઈએ. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ દ્વારા તમે સંયુક્ત અથવા સિંગલ બંનેમાં કોઈપણ એક રીતે રોકાણ કરી શકો છો. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ખાતું ખોલવા પર માતાપિતા દ્વારા તેની સંભાળ રાખવામાં આવશે. 10 થી 18 વચ્ચે એકાઉન્ટ સગીર ના રૂપમાં હશે. 18 પછી એકાઉન્ટ પુખ્ત ખાતામાં રૂપાંતરિત થશે. આ સ્કીમ હેઠળ ત્રણ લોકોના નામે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

કર મુક્તિનો લાભ

તમને જણાવી દઈએ કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરવા પર રોકાણકારોને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનું વળતર મળશે. આ સ્કીમમાં એકવાર રોકાણ કર્યા પછી, તમે 5 વર્ષ પહેલા આ પૈસા ઉપાડી શકતા નથી.

આ પણ વાંચો : MONEY9: શું શેરમાર્કેટમાં મંદીવાળા કબજો જમાવી શકશે? બજારમાં અત્યારે રોકાણકારોએ શું કરવું?

આ પણ વાંચો : ટૂર ઓપરેટરોને રાહત, એનઆરઆઈ દ્વારા વિદેશ માટે ટૂર પેકેજ લેવા પર ટેક્સ લેવાની જોગવાઈ રદ્દ

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">