તમારા EPF ખાતામાં વ્યાજની રકમ દેખાતી નથી ? જાણો નાણા મંત્રાલયે શું આપ્યું કારણ
છેલ્લા કેટલાક મહિનાઓથી, EPF વ્યાજની રકમની ચુકવણીમાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાનો મુદ્દો સતત સામે આવી રહ્યો છે.
નાણાકીય વર્ષ 2021-22 માટે, EPF ખાતાધારકો, તેમના પ્રોવિડન્ડ ફંડ (Provident Fund) ખાતામાં જમા કરાયેલ વ્યાજની રકમ જોઈ શકતા નથી. જે અંગે નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે પ્રોવિડન્ટ ફંડ સેવિંગ્સને લગતા ટેક્સ કાયદામાં કરાયેલા ફેરફારો બાદ ખાતા સંબંધિત સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે EPF ખાતાધારકો તેમના EPF ખાતામાં જમા થયેલા વ્યાજની રકમ જોઈ શકતા નથી.
પીએમ મોદીને ફરિયાદ !
વાસ્તવમાં, મણિપાલ યુનિવર્સિટીના અધ્યક્ષ અને ઈન્ફોસિસના ભૂતપૂર્વ ડિરેક્ટર મોહનદાસ પાઈએ ટ્વિટ કરીને વડાપ્રધાન અને નાણામંત્રીને ફરિયાદ કરી હતી. મોહનદાસ ટ્વીટ કરીને ફરિયાદ સ્વરૂપે લખ્યું હતુ કે પ્રિય EPFO, મારુ વ્યાજ ક્યાં છે ? તેમણે વડાપ્રધાન કાર્યાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને લખ્યું કે સુધારાની જરૂર છે ! અમલદારશાહીની બિનકાર્યક્ષમતાનો ભોગ સામાન્ય નાગરિકોએ શા માટે બનવું જોઈએ ? આ ટ્વીટમાં આગળ તેમણે નાણા મંત્રાલય અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ ટેગ કરીને મદદ માંગી હતી.
There is no loss of interest for any subscriber.
The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII
— Ministry of Finance (@FinMinIndia) October 5, 2022
નાણા મંત્રાલયની સ્પષ્ટતા
મોહનદાસ પાઈના આ ટ્વીટના જવાબમાં નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું અને લખ્યું કે કોઈપણ EPF સબસ્ક્રાઈબરને કોઈ નુકસાન થયું નથી. વ્યાજની રકમ તમામ EPF ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જો કે, ટેક્સ નિયમોમાં ફેરફારને કારણે, EPFO દ્વારા સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તે સ્ટેટમેન્ટમાં દેખાતું નથી.
વ્યાજ ચૂકવ્યું
અન્ય એક ટ્વીટમાં નાણામંત્રીએ કહ્યું કે EPFO છોડનારા તમામ સબ્સ્ક્રાઇબર્સ, જેઓ સેટલમેન્ટ માંગી રહ્યા છે અથવા જે સબસ્ક્રાઇબર્સ રકમ ઉપાડવા માંગે છે, તેમને વ્યાજની રકમ સાથે ચૂકવવામાં આવી રહી છે.
There is no loss of interest for any subscriber.
The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII
— Ministry of Finance (@FinMinIndia) October 5, 2022
EPF વ્યાજની ચુકવણીમાં વિલંબ!
હકીકતમાં, તાજેતરના વર્ષોમાં, વ્યાજની રકમની ચુકવણીમાં વિલંબનો મુદ્દો સતત સામે આવ્યો છે. EPFO બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નિર્ણય બાદ લાંબા સમય બાદ વ્યાજની રકમ EPFO ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 2020-21માં, EPFOએ માર્ચ 2021માં 8.5 ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ આદેશ ઓક્ટોબર 2021માં જાહેર કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બર 2021માં ખાતાધારકોને તેમના ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવી હતી. એટલે કે EPFOના નિર્ણયના 9 મહિના પછી. 2021-22 માટે પણ વ્યાજની રકમ ચાર મહિના પછી ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવી છે.