PAN CARD ને બદલે Aadhaar થી પૂરું થશે કામ, પાન કાર્ડ સંબંધિત નિયમમાં ફેરફારનો સરકારનો વિચાર

કેટલીક બેંકો વર્તમાન વ્યવસ્થાને કારણે બિનજરૂરી મૂંઝવણને ટાળવા માટે આવકવેરા કાયદામાં સુધારો કરવા માંગે છે. આ બાબતે સંભવિત સ્પષ્ટતા આર્થિક મર્યાદા નક્કી કરી શકે છે જેની નીચે પાન કાર્ડની આવશ્યકતા ફરજીયાત નહીં હોય.

PAN CARD ને બદલે Aadhaar થી પૂરું થશે કામ, પાન કાર્ડ સંબંધિત નિયમમાં ફેરફારનો સરકારનો વિચાર
Requirement of PAN card for financial transactions will be eliminated
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 6:32 AM

જો તમે PAN CARD  ધારક છો અને તમને વારંવાર નાણાકીય વ્યવહારોમાં તેની જરૂર પડે છે તો સરકાર આગામી બજેટમાં તમને મોટી રાહત આપી શકે છે. બજેટ 2023-24 માં કેન્દ્ર સરકાર કેટલાક નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડની જરૂરિયાતને ખતમ કરી શકે છે. જો આધાર કાર્ડ પહેલાથી જ હોય ​​તો નાણાકીય લેવડદેવડમાં પાન કાર્ડની જરૂરિયાત દૂર થઈ શકે છે. બેંકોએ આ સૂચન સરકારને આપ્યું છે. આ નાણાકીય સંસ્થાઓનું કહેવું છે કે ખાતાઓ આધાર સાથે જોડાયેલા હોવાથી PANની જરૂર નથી. વાસ્તવમાં આ પગલાનો હેતુ નાણાકીય સંસ્થાઓ અને બેંકોની માંગ મુજબ નિયમોને સરળ બનાવવાનો છે.

વર્તમાન નિયમો હેઠળ પાન કાર્ડ ફરજિયાત છે

આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારને આ સંબંધમાં દરખાસ્તો મળી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જો નાણાકીય વ્યવહાર દરમિયાન પાન કાર્ડ આપવામાં ન આવે તો આવકવેરા કાયદાની કલમ 206AA મુજબ ટ્રાન્ઝેક્શન પર 20 ટકા સુધી ટેક્સ વસૂલવાની જોગવાઈ છે. અધિકારીએ કહ્યું કે કેટલાક બેંક ગ્રાહકોએ આવકવેરા કાયદામાં સુધારો કરવાનું સૂચન કર્યું છે કારણ કે બેંકો તરફથી લોનને લઈને પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પાનકાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર હાલમાં સંશોધન  હેઠળ છે. બજેટમાં આ અંગે ખુલાસો થઇ શકે છે.

ગ્રાહકોને રાહત આપવાની માંગ

કેટલીક બેંકો વર્તમાન વ્યવસ્થાને કારણે બિનજરૂરી મૂંઝવણને ટાળવા માટે આવકવેરા કાયદામાં સુધારો કરવા માંગે છે. આ બાબતે સંભવિત સ્પષ્ટતા આર્થિક મર્યાદા નક્કી કરી શકે છે જેની નીચે પાન કાર્ડની આવશ્યકતા ફરજીયાત નહીં હોય.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

બેંકમાંથી પૈસાની લેવડદેવડ દરમિયાન કેટલીક સમસ્યાઓ સામે આવી હતી અને છેતરપિંડી અને કરચોરીને રોકવા માટે પાન કાર્ડ લાગુ કરવામાં આવ્યું હતું. તેથી, જો કોઈ ગ્રાહક મોટી રકમનો વ્યવહાર કરે છે તો પાન કાર્ડ જરૂરી છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર પાન કાર્ડને લઈને આ નિર્ણય લેશે તો કરદાતાઓને ફાયદો થશે. જો કે, કેટલાક વ્યવહારો વધુ કર કપાત આકર્ષિત કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો કોઈ વ્યક્તિ એક વર્ષ દરમિયાન 20 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે તો તેણે પાન કાર્ડ બતાવવું પડે છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">