AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય અર્થતંત્રને લઈને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આપ્યું નિવેદન, કહ્યું ‘આ નાણાકીય વર્ષમાં ગ્રોથરેટ રહેશે 10 ટકા’

મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો વિકાસ દર 10 ટકા રહેશે. આર્થિક સર્વેક્ષણ 2020-21માં સરકારે વિકાસ દર 11 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

ભારતીય અર્થતંત્રને લઈને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આપ્યું નિવેદન, કહ્યું 'આ નાણાકીય વર્ષમાં ગ્રોથરેટ રહેશે 10 ટકા'
આ દાયકામાં વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 6:52 PM
Share

મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કે.વી. સુબ્રમણ્યમે બુધવારે જણાવ્યું હતું કે ભારત આ દાયકામાં સાત ટકાથી વધુની આર્થિક વૃદ્ધિ નોંધાવશે. તેમણે કહ્યું કે દેશનો આર્થિક પાયો મજબૂત છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર 10 ટકાથી વધુ રહેશે.

જોકે, આગામી નાણાકીય વર્ષમાં તે ઘટીને 6.5થી 7 ટકા થઈ જશે. આર્થિક સર્વેક્ષણ 2020-21માં ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વૃદ્ધિ દર 11 ટકા રહેવાનો અંદાજ છે. જાન્યુઆરીમાં આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવ્યું હતું.

સુબ્રમણ્યમે કહ્યું, જો તમે વાસ્તવિક સંખ્યાઓ પર નજર નાખો તો વી આકારમાં સુધાર (ઘટાડા પછી ઝડપી વૃદ્ધિ) અને ત્રિમાસિક વૃદ્ધિ વલણ સ્થાપિત કરે છે કે અર્થતંત્રના મૂળભૂત નિયમો મજબૂત છે. અમે જે સુધારા કર્યા છે, પુરવઠા બાજુના પગલાં લીધા છે, તેનાથી માત્ર આ વર્ષે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ મજબૂત વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળશે.

તેમણે કહ્યું કે આ દાયકો ભારતની વ્યાપાક વૃદ્ધિનો દાયકો હશે. આગામી નાણાકીય વર્ષ 2022-23માં અમારો વિકાસ દર 6.5 ટકાથી 7 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. તે પછી સુધારાને કારણે વૃદ્ધિ દરમાં વધુ તેજી આવશે. મારો અંદાજ છે કે આ દાયકામાં સરેરાશ વિકાસ દર 7 ટકા રહેશે.

સરકાર ખર્ચ પર વિશેષ ભાર આપી રહી છે

તેમણે એ પણ જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેની વ્યાપક અસર છે. કેન્દ્રીય બજેટ 2021-22માં મૂડી ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ 2020-21ના બજેટ અંદાજ કરતાં 34.5 ટકા વધારે છે.

ADBએ વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 10% કર્યો

તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે બીજી લહેરને કારણે થયેલા નુકસાનને કારણે ચાલુ નાણાકીય વર્ષ માટે દેશની આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડીને 10 ટકા કરી દીધો છે. અગાઉ 11 ટકાનો અંદાજ હતો. ADBએ તેના તાજેતરના આર્થિક દૃષ્ટિકોણમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 (માર્ચ 2022 માં સમાપ્ત) માટે ભારતની વૃદ્ધિની આગાહીમાં સુધારો કરવામાં આવ્યો છે. કોવિડ -19 સંક્રમણના કેસોમાં વધારો થવાને કારણે આ વર્ષે મે મહિનામાં આમ કરવામાં આવ્યું હતું.

IMFએ વિકાસ દરમાં 3 ટકાનો ઘટાડો કર્યો હતો

આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરનો અંદાજ 12.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યો હતો. કોરોનાની બીજી લહેર પછી IMFએ વિશ્વમાં પોતાના ગ્રોથ રેટના અનુમાનને ભારત માટે સૌથી વધારે ઘટાડ્યો હતો. IMFએ વૈશ્વિક વિકાસ દરની આગાહી 6 ટકા જાળવી રાખી હતી.

2021માં વિકાસ દર 7.1 ટકા રહેવાની ધારણા છે

અગાઉ યુનાઈટેડ નેશન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનો આર્થિક વિકાસ દર 2021માં 7.2 ટકા રહેવાની ધારણા છે, પરંતુ આવતા વર્ષે વૃદ્ધિ ધીમી પડી શકે છે. રિપોર્ટ અનુસાર કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે અને ખાનગી વપરાશ પર ખાદ્ય ફુગાવાના નકારાત્મક પ્રભાવને કારણે દેશમાં પુનરુત્થાનની પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે.

આ પણ વાંચો :  Knowledge News: જાણી લેજો ઓક્ટોબરથી આવી રહ્યા છે કેટલાક નિયમોમાં ફેરફાર, વાંચો તમામ વિગત એક ક્લિક પર

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">