તહેવારોની સિઝન(Festive season)માં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ(Central Government employees) માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. તહેવારની શરૂઆત પહેલા મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત(DR)માં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી કેન્દ્ર સરકારે રેલ્વે(Railways) કર્મચારીઓ માટે પરફોર્મન્સ સાથે જોડાયેલા પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આ તમામ નિર્ણયોથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ફાયદો થયો છે. પગાર અને ગ્રેચ્યુઇટીમાં વધારા સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓ માટે વધારાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે રાજ્ય સરકારો પણ તેનો અમલ કરી રહી છે.
કેન્દ્ર સરકાર તરફથી પેન્શન અને ગ્રેચ્યુઈટીનો લાભ મળી રહ્યો છે પરંતુ આનો એક નિયમ યાદ રાખવો જરૂરી છે. આ એક નિયમ છે જેને અવગણવું ભારે પડી શકે છે. આ નિયમ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 2021નો છે. આ નિયમ કહે છે કે જો કોઈ સરકારી કર્મચારી તેની સેવા દરમિયાન કોઈ ગંભીર ગેરરીતિમાં સંડોવાયેલો જોવા મળે છે તેની ફરજ સાથે ચેડાં કરે છે તો તેનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકી શકાય છે. CCS (પેન્શન) નિયમો, 2021 ના નિયમ 8 પર સરકાર દ્વારા એક સૂચના પણ જારી કરવામાં આવી છે.
આ નોટિફિકેશનમાં સુધારાને લઈને કહેવામાં આવ્યું છે કે જો ભૂલ જણાય તો પેન્શન અને ગ્રેચ્યુઈટીનો લાભ રોકી શકાય છે અને કેટલાક અધિકારીઓને તેનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં રાષ્ટ્રપતિ, વહીવટી વિભાગના સચિવ, ભારતના ઓડિટર જનરલનો સમાવેશ થાય છે. એટલે કે આ ત્રણ અધિકારીઓ સરકારી કર્મચારીનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકી શકે છે અને જો તેમની સામે ગંભીર કેસ જોવા મળે છે.
7મી ઑક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા સુધારેલા નિયમ 8 મુજબ, ઉપરોક્ત એજન્સીઓ (અધિકારીઓ)ને જો નિવૃત્ત વ્યક્તિ “સેવાના સમયગાળા દરમિયાન ગંભીર ગેરવર્તણૂક” માટે કોઈપણ વિભાગીય અથવા વિભાગમાં સંડોવાયેલા હોય તો પેન્શનને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવાનો અધિકાર છે. એટલું જ નહીં નિવૃત્તિ પછી અન્ય કોઈ નોકરી કે સેવાની પણ તપાસ થઈ શકે છે.
પેન્શન અથવા ગ્રેચ્યુટી કાયમ માટે અથવા ચોક્કસ સમયગાળા માટે રોકી શકાય છે. જો સરકારી વિભાગને લાગે છે કે દોષિત કર્મચારીને પેન્શન અથવા ગ્રેચ્યુઇટી આપીને આર્થિક નુકસાન થયું છે, તો તે કર્મચારી પાસેથી વળતર પણ મેળવી શકાય છે. આ નિર્ણય પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે અને નિર્ણય લેતા પહેલા યુપીએસસીની સલાહ લેવી જરૂરી છે. વધુમાં, પેન્શનની રકમ નિયમ 44 હેઠળ લઘુત્તમ પેન્શનમાંથી ઘટાડી શકાતી નથી, જે દર મહિને રૂ. 9000 છે. આ નિયમ ત્યારે છે જ્યારે અમુક કેસોમાં આવકનો એક ભાગ રોકી દેવામાં આવે અથવા પાછો ખેંચવામાં આવે છે.