AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

નોંધનીય છે કે કોરોનાની અસર ઓછી થતાં જ રેલવે બોર્ડે ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં લાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં તમામ ટ્રેનો સામાન્ય નંબરો સાથે દોડવા લાગશે.

રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા
SYMBOLIC IMAGE
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:00 AM
Share

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલ્વે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) આગામી સાત દિવસ સુધી રાત્રે છ કલાક માટે બંધ રહેશે. રેલવે મંત્રાલયે આ અંગેની જાહેરાત કરી છે. આ પગલું સિસ્ટમ ડેટા, નવા ટ્રેન નંબર અને અન્ય કાર્યોના અપગ્રેડેશન માટે છે. આ પ્રવૃત્તિ 14 અને 15 નવેમ્બરની મધ્યરાત્રિથી 20 અને 21 નવેમ્બરની રાત્રિ સુધી ચાલશે.

રેલ્વેએ જણાવ્યું હતું કે તમામ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી સંખ્યામાં જૂના ટ્રેન નંબરો અને વર્તમાન પેસેન્જર બુકિંગ ડેટા અપડેટ થવાના હોવાથી તેને તબક્કાવાર શ્રેણીમાં કરવાનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ટિકિટિંગ સેવાઓ પર અસર ઘટાડવા માટે આ કામ રાત્રિના સમયે કરવામાં આવશે.

આ સેવાઓ મળશે નહીં આ 6 કલાક દરમિયાન ટિકિટ રિઝર્વેશન, વર્તમાન બુકિંગ, કેન્સલેશન, પૂછપરછ સેવાઓ વગેરે જેવી કોઈ PRS સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.આ સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓ ટ્રેનો શરૂ કરવા માટે એડવાન્સ ચાર્ટિંગની ખાતરી કરશે. PRS સેવાઓ સિવાય 139 સહિત અન્ય તમામ પૂછપરછ સેવાઓ અવિરત ચાલુ રહેશે.

દક્ષિણ પશ્ચિમ રેલવેની અખબારી યાદી અનુસાર, આ સિસ્ટમ ડેટાના અપગ્રેડેશન અને નવા ટ્રેન નંબર વગેરેને અપડેટ કરવા સક્ષમ બનાવવા માટે છે. મોટી સંખ્યામાં મેલ/એક્સપ્રેસ ટ્રેનો જૂનાટ્રેન નંબરો અને વર્તમાન પેસેન્જર બુકિંગ ડેટા અપડેટ થવાનો છે. આ માટે કાળજીપૂર્વક કેલિબ્રેટેડ તબક્કાઓની શ્રેણીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાત્રિના કલાકો દરમિયાન અમલમાં મુકવામાં આવ્યું છે જેથી પ્રભાવ ઘટાડી શકાય.

ટ્રેનો કોરોનાકાળ પહેલાની જેમ દોડશે નોંધનીય છે કે કોરોનાની અસર ઓછી થતાં જ રેલવે બોર્ડે ટ્રેનોને કોરોના પહેલાની સ્થિતિમાં લાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં તમામ ટ્રેનો સામાન્ય નંબરો સાથે દોડવા લાગશે. એટલે કે, નંબરોમાંથી શૂન્ય દૂર કરવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોમાં સ્પેશિયલ ક્લાસ બાદ ભાડું વધાર્યું છે તે પણ પહેલા જેવું જ રહેશે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ટ્રેનોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. રિઝર્વેશન વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય યાત્રા દરમિયાન ધાબળા અને ચાદર આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : EPF: નોકરીમાંથી નિવૃત્તિ બાદ PF ના કેટલા મળશે પૈસા? 35 વર્ષની ઉંમર અને 15 વર્ષના બેઝિકના ઉદાહરણ સાથે સમજો સંપૂર્ણ ગણતરી

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">