Gujarati NewsBusinessHow much cash is kept in the house will not be a problem, know the limit of keeping cash and the rule of Income tax
ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો સમસ્યા થશે નહિ, જાણો કેશ રાખવાની મર્યાદા અને Income tax નો નિયમ
આવકવેરા વિભાગના નિયમો અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો પરંતુ જો તે તપાસ એજન્સી દ્વારા તેનો હિસાબ પૂછવામાં આવે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે.
Symbolic Image
Follow us on
ઈન્કમટેક્સ (Income tax), ઈડી(ED), સીબીઆઈ (CBI) જેવી મોટી તપાસ એજન્સીઓએ ઘણી જગ્યાએ બિનહિસાબી રોકડ કે સંપત્તિને લઈ દરોડા પાડે છે અને લોકોના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એક મોટી કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)એ અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી 50 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી ઘણી વખત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય માણસ પોતાના ઘરમાં કેટલી રોકડ રાખી શકે? તમારા ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો તેનાથી તમે સુરક્ષિત છો અને કોઈ તપાસ એજન્સીથી ડરવાની જરૂર નથી? આજે અમે અહેવાલ દ્વારા આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
આવકવેરા વિભાગના નિયમો અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો પરંતુ જો તે તપાસ એજન્સી દ્વારા તેનો હિસાબ પૂછવામાં આવે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે. જો તમે તે પૈસા કાયદેસર રીતે કમાયા છે અને તેના માટે સંપૂર્ણ દસ્તાવેજો છે અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે સ્ત્રોત જણાવવામાં અસમર્થ છો તો એજન્સી તેની પોતાની કાર્યવાહી કરશે.