Gratuity : 5 વર્ષથી ઓછી નોકરી પર પણ મળે છે ગ્રેચ્યુઈટી,આ રીતે સમજો ગણતરી

ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.

Gratuity : 5 વર્ષથી ઓછી નોકરી પર પણ મળે છે ગ્રેચ્યુઈટી,આ રીતે સમજો ગણતરી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 9:42 AM

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને ગ્રેચ્યુઈટી મળે છે પરંતુ ગ્રેચ્યુઈટી સંબંધિત અનેક પ્રશ્નો કર્મચારીઓના મનમાં ઉઠતા રહે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કંપનીમાં સતત પાંચ વર્ષ કામ કર્યા પછી જ કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. સરકારે નવા લેબર કોડમાં ગ્રેચ્યુટીના નિયમોમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. જો કે, આ અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. સતત સેવાને બદલે કંપનીઓ તેમના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપીને તેમનો આભાર વ્યક્ત કરે છે. ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે.

ગ્રેચ્યુઈટી શું છે?

કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. એક રીતે સતત સેવાના બદલામાં, કંપની દ્વારા કર્મચારીનો આભાર માનવામાં આવે છે.

કોને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે?

પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુટી એક્ટ (Payment and Gratuity Act)દેશના તમામ કારખાનાઓ, ખાણો, તેલ ક્ષેત્રો, બંદરો અને રેલવેને લાગુ પડે છે. આ સાથે 10 થી વધુ લોકોને રોજગારી આપતી દુકાનો અને કંપનીઓના કર્મચારીઓને પણ ગ્રેચ્યુટીનો લાભ મળે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ગ્રેચ્યુટી કયા આધારે મળે છે ?

ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ કોઈપણ એક એમ્પ્લોયર સાથે સતત પાંચ વર્ષ કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો કે, અધિનિયમની કલમ 2A સ્પષ્ટપણે ‘કામ ચાલુ રાખવું’ ને વ્યાખ્યાયિત કરે છે. આ મુજબ ઘણા કર્મચારીઓ પૂરા 5 વર્ષ સુધી કામ ન કરે તો પણ તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે.

આ રીતે તમને પાંચ વર્ષ પહેલા ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે

ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.

નોટિસ પિરિયડ પણ ગણાય છે

ગ્રેચ્યુટી માટેના સમયગાળાની ગણતરી કરતી વખતે નોટિસનો સમયગાળો ગણવામાં આવે છે કે કેમ તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે. અહીં જણાવી દઈએ કે નોટિસનો સમયગાળો ‘સતત સેવા’માં ગણાય છે.

શું છે ગ્રેજ્યુટીની ગણતરી ?

ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. સરકારી કર્મચારીઓ માટે તેની વધારેમાં વધારે મર્યાદા 20 લાખ રૂપિયા છે. 5 વર્ષની સર્વિસ પૂરી કર્યા પછી ગ્રેજ્યુટી બનવાની શરૂઆત થઈ જાય છે. ગ્રેજ્યુટીની રકમ 2 રીતે નક્કી થાય છે. કંપનીમાં તમારો કાર્યકાળ અને તમારો છેલ્લો પગાર. ગ્રેજ્યુટી નક્કી કરવાની ફોર્મ્યુલા છે- 15 X છેલ્લો પગાર X સર્વિસ પિરીયડ/26 હોય છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">