AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે

Aonના 26 મા વાર્ષિક વેતન વૃદ્ધિ સર્વે અનુસાર મોટાભાગની કંપનીઓ 2022 વિશે આશાવાદી છે. આવતા વર્ષે 98.9 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરશે.

કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 8:20 AM
Share

કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરનો આંચકો સહન કરવા છતાં ભારતીય કંપનીઓએ જબરદસ્ત ક્ષમતા દર્શાવી છે. એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાની ગંભીર અસર છતાં ભારતીય કંપનીઓ આ વર્ષે તેમના કર્મચારીઓના વેતનમાં સરેરાશ 8.8 ટકાનો વધારો કરશે. તો આગામી વર્ષ એટલે કે 2022 માં પગાર વધારો 9.4 ટકા થશે.

મંગળવારે જાહેર થયેલા Aonના 26 મા વાર્ષિક વેતન વૃદ્ધિ સર્વે અનુસાર મોટાભાગની કંપનીઓ 2022 વિશે આશાવાદી છે. આવતા વર્ષે 98.9 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરશે. તે જ સમયે, 2021 માં, 97.5 ટકા કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું કહ્યું છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ક્ષેત્રોમાં સેન્ટિમેન્ટ સકારાત્મક છે અને ભારતીય કંપનીઓ પુનરુત્થાનના માર્ગ પર છે. મોટાભાગની કંપનીઓ માને છે કે 2021-22માં પગાર વધારો 2018-19ના સ્તરે પહોંચશે.

ઇન્ક્રીમેન્ટમાં સતત સુધારો Aon હ્યુમન કેપિટલ બિઝનેસના પાર્ટનર રૂપાંક ચૌધરીએ કહ્યું હતું કે, “આ નાણાકીય સ્વાસ્થ્ય અને અર્થતંત્રમાં તેજીનો મજબૂત સંકેત છે. સ્પષ્ટ છે કે સ્થિતિ સારી થઈ રહી છે. 2020 માં પગાર વધારો 6.1 ટકા હતો. તે 2021 માં 8.8 ટકા અને 2022 માં 9.4 ટકા સુધી પહોંચવાની ધારણા છે. આ 2018 અને 2019 ના પ્રિ-કોવીડ સ્તરની બરાબર હશે.

ડિજિટલ ટેલેન્ટની ઊંચી માંગ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાએ કંપનીઓની ડિજિટલ સફરને વેગ આપ્યો છે અને ટૂંકા ગાળામાં ડિજિટલ પ્રતિભા માટે ‘યુદ્ધ’ શરૂ કર્યું છે. આ પગાર બજેટમાં વધારો કરવાની સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં નોકરી બદલનારાઓની સંખ્યામાં વધારો કરી રહ્યું છે.

કંપનીઓ ડિજિટલ ક્ષમતા વધારી રહી છે ચૌધરીએ કહ્યું કે કંપનીઓએ તેમની પ્રતિભા વ્યૂહરચનાને ફરીથી વ્યાખ્યાયિત કરવી પડશે જેથી તેઓ આ ‘યુદ્ધ’ માં ટકી શકે. તેમણે કહ્યું કે પરંપરાગત અને બિનપરંપરાગત ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ વિકાસની ગતિ જાળવી રાખવા માટે ડિજિટલ ક્ષમતાઓમાં રોકાણ કરી રહી છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : શું હજુ પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે ? જાણો આજે શું છે ઇંધણના ભાવ

આ પણ વાંચો :  BHARUCH : મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી અને અચાનક ટ્રેન આવી પહોંચી! જાણો શું થયું તે મહિલા સાથે કે તેનો થયો આબાદ બચાવ

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">