AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે

Aonના 26 મા વાર્ષિક વેતન વૃદ્ધિ સર્વે અનુસાર મોટાભાગની કંપનીઓ 2022 વિશે આશાવાદી છે. આવતા વર્ષે 98.9 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરશે.

કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 8:20 AM
Share

કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરનો આંચકો સહન કરવા છતાં ભારતીય કંપનીઓએ જબરદસ્ત ક્ષમતા દર્શાવી છે. એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાની ગંભીર અસર છતાં ભારતીય કંપનીઓ આ વર્ષે તેમના કર્મચારીઓના વેતનમાં સરેરાશ 8.8 ટકાનો વધારો કરશે. તો આગામી વર્ષ એટલે કે 2022 માં પગાર વધારો 9.4 ટકા થશે.

મંગળવારે જાહેર થયેલા Aonના 26 મા વાર્ષિક વેતન વૃદ્ધિ સર્વે અનુસાર મોટાભાગની કંપનીઓ 2022 વિશે આશાવાદી છે. આવતા વર્ષે 98.9 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરશે. તે જ સમયે, 2021 માં, 97.5 ટકા કંપનીઓએ કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું કહ્યું છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ક્ષેત્રોમાં સેન્ટિમેન્ટ સકારાત્મક છે અને ભારતીય કંપનીઓ પુનરુત્થાનના માર્ગ પર છે. મોટાભાગની કંપનીઓ માને છે કે 2021-22માં પગાર વધારો 2018-19ના સ્તરે પહોંચશે.

ઇન્ક્રીમેન્ટમાં સતત સુધારો Aon હ્યુમન કેપિટલ બિઝનેસના પાર્ટનર રૂપાંક ચૌધરીએ કહ્યું હતું કે, “આ નાણાકીય સ્વાસ્થ્ય અને અર્થતંત્રમાં તેજીનો મજબૂત સંકેત છે. સ્પષ્ટ છે કે સ્થિતિ સારી થઈ રહી છે. 2020 માં પગાર વધારો 6.1 ટકા હતો. તે 2021 માં 8.8 ટકા અને 2022 માં 9.4 ટકા સુધી પહોંચવાની ધારણા છે. આ 2018 અને 2019 ના પ્રિ-કોવીડ સ્તરની બરાબર હશે.

ડિજિટલ ટેલેન્ટની ઊંચી માંગ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાએ કંપનીઓની ડિજિટલ સફરને વેગ આપ્યો છે અને ટૂંકા ગાળામાં ડિજિટલ પ્રતિભા માટે ‘યુદ્ધ’ શરૂ કર્યું છે. આ પગાર બજેટમાં વધારો કરવાની સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં નોકરી બદલનારાઓની સંખ્યામાં વધારો કરી રહ્યું છે.

કંપનીઓ ડિજિટલ ક્ષમતા વધારી રહી છે ચૌધરીએ કહ્યું કે કંપનીઓએ તેમની પ્રતિભા વ્યૂહરચનાને ફરીથી વ્યાખ્યાયિત કરવી પડશે જેથી તેઓ આ ‘યુદ્ધ’ માં ટકી શકે. તેમણે કહ્યું કે પરંપરાગત અને બિનપરંપરાગત ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ વિકાસની ગતિ જાળવી રાખવા માટે ડિજિટલ ક્ષમતાઓમાં રોકાણ કરી રહી છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : શું હજુ પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે ? જાણો આજે શું છે ઇંધણના ભાવ

આ પણ વાંચો :  BHARUCH : મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી અને અચાનક ટ્રેન આવી પહોંચી! જાણો શું થયું તે મહિલા સાથે કે તેનો થયો આબાદ બચાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">