AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને ‘916’ કેમ કહેવાય છે? જાણો વિગતવાર

જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો, ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?

Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને '916' કેમ કહેવાય છે?  જાણો વિગતવાર
Gold
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 8:29 AM
Share

દરેક વ્યક્તિ પોતાના જીવનના ક્યારેક ને ક્યારેક સોનું ખરીદે છે. સોનુ રોકાણ અથવા લગ્ન, જન્મદિવસ, ભેટ વગેરે માટે ઘરેણાં બનાવવા લઈ શકાય છે, પરંતુ જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો, ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?

જો તમે જાણો છો કે આ બંને કેરેટનું સોનુ કેવું હોય છે તો તે સારી બાબત છે અને જો તમે જાણતા ન હોવ તો અમે તમને તેના વિશે જણાવીશું. કેરેટનો સીધો સંબંધ શુદ્ધતા સાથે છે. કેરેટ જેટલું ઊંચું તેટલું શુદ્ધ સોનું મનાય છે. તે માત્ર 0 થી 24 સુધીનું રેટિંગ છે. તેથી તમારે સમજવું જોઈએ કે 24 કેરેટ સોનું એ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. અને 24 કેરેટ અને 22 કેરેટ વચ્ચેનો તફાવત માત્ર શુદ્ધતાનો છે.

24 કેરેટ સોનું 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે. તમે સામાન્ય રીતે ‘એકદમ શુદ્ધ સોનું’ સાંભળ્યું જ હશે. તેથી એકદમ શુદ્ધ સોનું એટલે કે તેમાં બીજી કોઈ ધાતુ ભળેલી ન હોય. જ્યાં તમારે એ પણ જાણવું જોઈએ કે 24 કેરેટ સોનાથી ઉપરનું કોઈ સોનું નથી. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત દરરોજ બદલાય છે. કારણ કે તે સૌથી શુદ્ધ સોનું છે, તો તેની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોના કરતાં વધુ છે. 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે અને તેમાંથી ઘરેણાં બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જ બજારમાં મોટાભાગની જ્વેલરી 22 કે તેથી ઓછા કેરેટમાં જ ઉપલબ્ધ છે.

22 કેરેટ સોનું 22 કેરેટ સોનામાં 22 ભાગ સોનું હોય છે અને 2 ભાગ અન્ય કોઈપણ ધાતુઓનું મિશ્રણ હોય છે. અન્ય ધાતુઓની વાત કરીએ તો તેમાં ઝિંક અને કોપર હોઈ શકે છે. 22 કેરેટ સોનું 24 કેરેટ સોના કરતાં કઠણ છે. અને તેનું કારણ તેમાં ભળેલી અન્ય ધાતુઓ છે. 22 કેરેટ સોનું દાગીના માટે સારું માનવામાં આવે છે. 22 કેરેટ સોનાને ‘916 સોનું’ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં 91.62 ટકા શુદ્ધ સોનું હોય છે.

આ પણ વાંચો : Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Debit Card પર મળે છે 10 લાખ સુધીનો ફ્રી અકસ્માત વીમો, જાણો કેવી રીતે અને કોને મળે છે લાભ

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">