GOLD : દિવાળી સુધીમાં સોનું 49000 રૂપિયા સુધી ઉછળી શકે છે, વૈશ્વિક પરિબળો ભાવમાં વધારો કરે તેવી ધારણા

IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તા કહે છે કે ડોલરની મજબૂતીના કારણે સોના અને ચાંદી પર દબાણ છે.

GOLD : દિવાળી સુધીમાં સોનું 49000 રૂપિયા સુધી ઉછળી શકે છે, વૈશ્વિક પરિબળો ભાવમાં વધારો કરે તેવી ધારણા
dhan teras gold shopping
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 9:11 AM

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે. અસ્થિરતાઓ વચ્ચે કિંમતો સ્થિર રહી છે. જોકે તહેવારોની સિઝનને જોતા સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે. વૈશ્વિક પરિબળોને કારણે સોનાનો દર પણ વધી રહ્યો છે. તેમાં વધુ વધારો થવાની ધારણા છે. આ મહિને અત્યાર સુધી બુલિયન માર્કેટમાં સોનું તોલાના  499 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો  1,967 રૂપિયા મોંઘી થઈ છે.

મજબૂત ડોલરનું દબાણ IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તા કહે છે કે ડોલરની મજબૂતીના કારણે સોના અને ચાંદી પર દબાણ છે. જોકે, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે આગામી મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. તેનાથી મોંઘવારી વધી શકે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળે સોનામાં વધારો થઈ શકે છે. તેમના મતે દિવાળી સુધીમાં સોનાની કિંમત 49 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની SBI એ નવા અવતાર (R-GDS) માં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ ગોલ્ડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બેંકમાં સોનું જમા કરે છે અને બદલામાં તેને વ્યાજ મળે છે. અહીં તમારું સોનું પણ સુરક્ષિત પણ રહે છે.

SBI ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ માટેની પાત્રતાના નિયમ મુજબ કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તે પ્રોપરાઈટર, એચયુએફ, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોઈ શકે છે જે સેબી, કંપનીઓ, ચેરિટેબલ સંસ્થા અને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઈપણ સંસ્થા સાથે નોંધાયેલ છે. SBI ની આ યોજનામાં ઓછામાં ઓછા 10 ગ્રામનું રોકાણ કરવું પડશે.

રોકાણ કરવાની ત્રણ રીત એસબીઆઈ રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ (SBI R-GDS) માં ત્રણ રીતે રોકાણ કરી શકાય છે. ટૂંકા ગાળાની થાપણો 1-3 વર્ષ માટે છે. મધ્યમ મુદતની થાપણો 5-7 વર્ષ માટે છે જ્યારે લાંબા ગાળાની થાપણો 12-15 વર્ષ માટે રોકાણ કરી શકાય છે.

સમયગાળા મુજબ વ્યાજ દર મળનાર વ્યાજ વિશે વાત કરીએ તો ટૂંકા ગાળાની થાપણો હેઠળ 1 વર્ષ માટે 0.50 ટકા વાર્ષિક, 1-2 વર્ષ માટે 0.55 ટકા, 2-3 વર્ષ માટે 0.60 ટકા, વ્યક્તિને 0.50 ટકા વ્યાજ મળે છે. મધ્યમ ગાળાની થાપણો માટે વ્યાજનો દર વાર્ષિક 2.25 ટકા અને લાંબા ગાળાની થાપણો માટે 2.50 ટકા વાર્ષિક છે.

આ પણ વાંચો : દેવામાં ડૂબી દુનિયા: વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું, જાણો ભારત પર કેટલો છે બોજો?

આ પણ વાંચો : NPS માં આ 6 નિયમોમાં કરાયા ફેરફાર, રોકાણ કરતા પહેલા જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">